Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર-એનસીઆર માં પ્રદૂષણ સંકટમાંથી વિશ્વને શીખવાની જરૂર છે.

    November 13, 2025

    સરળ જીવન જીવવાની સુવિધા ત્યારે જ શક્ય છે જ્યારે ન્યાયની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે

    November 13, 2025

    તંત્રી લેખ…સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓની સાથે, જનતાએ પણ સતર્ક રહેવું જોઈએ.

    November 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર-એનસીઆર માં પ્રદૂષણ સંકટમાંથી વિશ્વને શીખવાની જરૂર છે.
    • સરળ જીવન જીવવાની સુવિધા ત્યારે જ શક્ય છે જ્યારે ન્યાયની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે
    • તંત્રી લેખ…સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓની સાથે, જનતાએ પણ સતર્ક રહેવું જોઈએ.
    • 14 નવેમ્બર નું પંચાંગ
    • 14 નવેમ્બર નું રાશિફળ
    • વિશ્વના નકશામાં ગુજરાતની નવી ઓળખ, મળ્યો GI Tag
    • ૧૪ નવેમ્બરને “World Diabetes Day : ૧૦માંથી ૭ વ્યક્તિમાં ડાયાબિટીસની સમસ્યા
    • વિધર્મીએ જુદી જુદી જગ્યાએ લઈ જઈ કિશોરી સાથે હવસ સંતોષી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»સંબંધો સુધારવા India – Pakistan એક ડગ આગળ વધશે!
    આંતરરાષ્ટ્રીય

    સંબંધો સુધારવા India – Pakistan એક ડગ આગળ વધશે!

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કલમ 370ની નાબુદી બાદ બંધ કરાયેલ દિલ્હી દૂતાવાસ ફરી શરૂ કરો: ભારતનો સંદેશ જેવું વર્તન હશે તેવો જવાબ મળશે: સ્પષ્ટ વાત

     મોદી-શરીફ નવેમ્બરમાં અજરબૈજાનમાં મળશે તે સમયે વાતચીત આગળ વધવાની શકયતા: ત્રાસવાદ મુદે ભારતનું વલણ અફર

    Islamabad,તા.17

    કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરની 24 કલાકની ઈસ્લામાબાદ મુલાકાત છેલ્લા 10 વર્ષથી ઠંડા બકસામાં ધકેલાઈ ગયેલા ભારત-પાકિસ્તાનના સંબંધોમાં નવો વળાંક લાવી શકે છે.

    શાંધાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ઈસ્લામાબાદ ગયેલા શ્રી એસ.જયશંકરે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ દ્વીપક્ષી મંત્રણા માટે જતા નથી અને બન્ને દેશો વચ્ચે કોઈ સીધી વાતચીત થશે નહી. હજુ ગઈકાલે જ તેઓએ ‘વિશ્વાસ’નું વાતાવરણ જરૂરી હોવાનું દર્શાવીને એક એવો સંદેશ પણ મોકલી આપ્યો હતો કે ત્રાસવાદ અને સંવાદ બંને સાથે સાથે ચાલી શકશે નહી.

    પરંતુ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા એક ખાસ રિપોર્ટ મુજબ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં એક ડગલું આગળ વધવા તૈયારી છે. 9 વર્ષ બાદ ભારતના કોઈ વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. શ્રી જયશંકરે પરત આવતા સમયે એવો સંકેત આપ્યો હતો કે જયાં સુધી ભારત-પાક સંબંધોની બાબત છે તો પાક તરફથી હકારાત્મક કે નકારાત્મક જે કંઈ સંકેત આવશે.

    તો તેનો તે જ રીતે જવાબ અપાશે. શ્રી જયશંકરે તેમની મહેમાનગતી બદલ પાકના વિદેશમંત્રીનો પણ આભાર માન્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બન્ને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે કોઈ સીધી વાતચીત થઈ નથી પરંતુ વિદેશમંત્રી એસ.જયશંકર અને પાક વિદેશમંત્રી ઈશાક દાર વચ્ચે 5થી7 મીનીટની ચર્ચા થઈ હતી.

    આ આયોજન માટે પહોંચેલા વિદેશી મહેમાનો માટે પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ એ જે ડીનર યોજયું હતું. તે સમયે બન્ને વિદેશમંત્રીઓએ થોડી મીનીટ અલગથી વાતચીત કરી અને તેમાં પાક ક્રિકેટ બોર્ડના મોહસીન નકવી પણ જોડાયા હતા.

    સૂત્રોના જણાવ્યા મુજબ પાક તરફથી બન્ને દેશો વચ્ચે ક્રિકેટના સંબંધો ફરી શરૂ થાય તે માટે આગ્રહ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને ચેમ્પીયન ટ્રોફી રમવા ભારતની ટીમ પાકિસ્તાન આવે તે માટે પાકે ખાસ આગ્રહ રાખ્યો હતો. પાક માટે ચેમ્પીયન ટ્રોફીની યજમાની ભારતની ટીમ આ દેશનો પ્રવાસ ન કરે તો સ્પર્ધાનો ચાર્મ રહે નહી તે નિશ્ચિત છે.

    જો કે જયશંકરે જાહેરમાં પાકને અનેક વખત લતાડયુ છે અને ગઈકાલે પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો. પરંતુ જે રીતે લંચ-ડીનર બેઠકોમાં દ્રશ્યો જોવા મળ્યા તે સૂચક છે. ગઈકાલે લંચ સમયે પણ બન્ને વિદેશમંત્રીઓની બેઠક વચ્ચે અંતર હતું પણ અંતિમ ઘડીએ બન્ને બાજુ બાજુમાં બેઠા હતા અને વાતચીત કરતા હતા.

    બીજા એક સંકેતમાં નવેમ્બર માસમાં કોપ-29 પર્યાવરણ સંબંધીત સંગઠન કોન્ફરન્સ ઓફ પાર્ટી, અજરબૈજાનના પાટનગર બાકુમાં યોજાઈ રહી છે અને તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ મળશે.

    જો કે ભારતે આ અગાઉ પણ એક ડિપ્લોમેટીક સંદેશામાં સ્પષ્ટ કર્યુ છે કે, કાશ્મીરમાં કલમ 370ની નાબુદીના વિરોધમાં પાકે નવી દિલ્હીમાં તેના દૂતાવાસને બંધ કર્યુ છે તે ફરી બોલે તે પ્રથમ શરત છે.

    આ ઉપરાંત પાકના એક મંત્રી અહસીન ઈકબાલે એક ભારતીય પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાક ઈચ્છે છે કે બન્ને દેશો લાહોર સમજુતી પર પરત ફરે અને બન્ને દેશો એકબીજાના મામલામાં દખલ કરે નહી. આ કરાર વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાઈ નવાઝ શરીફ જયારે પાક વડાપ્રધાન હતા.

    તે સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની લાહોર મુલાકાત સમયે થયો હતો. જો કે તે સમયે જ પાકના સૈન્ય વડા અને બાદમાં શાસક બનેલા જનરલ મુશર્રફ જે રીતે કારગીલ કાંડ સર્જયા તેથી બન્ને દેશોના સંબંધો બગડયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Kash Patel ની પાર્ટનરનો પોડકાસ્ટર પર રૂ.45 કરોડનો બદનક્ષીનો દાવો

    November 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    શૂટ કરી દેવાયેલા Gujarati નાં વારસદારોને 15.3 મિલિયન ડોલર ચૂકવવા આદેશ

    November 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    American ના ઈતિહાસનું સૌથી લાંબુ શટડાઉન પુરું: ફંડના અભાવે ઠપ્પ સરકારી કામો હવે શરૂ થશે

    November 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીઓ રાષ્ટ્રીય ચાર્ટર પર લોકમત વિના ચૂંટણીઓ યોજાશે નહીં,Islamic party

    November 12, 2025
    આંતરરાષ્ટ્રીય

    PM Modi ભૂટાનના ચોથા રાજાને મળ્યા, પાડોશી દેશ સાથે મિત્રતા વધુ મજબૂત બનાવી

    November 12, 2025
    આંતરરાષ્ટ્રીય

    શરીફનાં દાવાનું સુરસુરીયું : આત્મઘાતી હુમલાની જવાબદારી લેતું પાક Taliban

    November 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર-એનસીઆર માં પ્રદૂષણ સંકટમાંથી વિશ્વને શીખવાની જરૂર છે.

    November 13, 2025

    સરળ જીવન જીવવાની સુવિધા ત્યારે જ શક્ય છે જ્યારે ન્યાયની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે

    November 13, 2025

    તંત્રી લેખ…સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓની સાથે, જનતાએ પણ સતર્ક રહેવું જોઈએ.

    November 13, 2025

    14 નવેમ્બર નું પંચાંગ

    November 13, 2025

    14 નવેમ્બર નું રાશિફળ

    November 13, 2025

    વિશ્વના નકશામાં ગુજરાતની નવી ઓળખ, મળ્યો GI Tag

    November 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર-એનસીઆર માં પ્રદૂષણ સંકટમાંથી વિશ્વને શીખવાની જરૂર છે.

    November 13, 2025

    સરળ જીવન જીવવાની સુવિધા ત્યારે જ શક્ય છે જ્યારે ન્યાયની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે

    November 13, 2025

    તંત્રી લેખ…સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓની સાથે, જનતાએ પણ સતર્ક રહેવું જોઈએ.

    November 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.