કુંભમેળો આ કોટ્યવધિ ભાવિકોની શ્રદ્ધા-ભક્તિનો મેળો છે; પરંતુ અનેકોને સનાતન ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા પાછળના શાસ્ત્રની માહિતી ન હોવાને લીધે તેનો અપેક્ષિત આધ્યાત્મિક લાભ થતો નથી. વર્તમાનમાં કૉન્વેન્ટ શાળાઓમાં બાયબલ અને મદરેસાઓમાં કુરાન શીખવવામાં આવે છે; પરંતુ સામાન્ય હિંદુને તેના ધર્મ વિશે જ્ઞાન આપનારી કોઈ વ્યવસ્થા નથી. તેને કારણે ‘સનાતન ધર્મ એટલે શું ?’, ‘તેનું આચરણ કેવી રીતે કરવું ?’ આ હિંદુઓને જાણકારી નથી. ધાર્મિક કૃતિઓ કરવા પાછળના શાસ્ત્રની જો જાણકારી હોય, તો તે કૃતિ શ્રદ્ધાથી થાય છે અને શ્રદ્ધાથી કરેલી ધાર્મિક કૃતિઓનો સર્વાધિક આધ્યાત્મિક લાભ થાય છે, તેમજ સનાતન ધર્મવિરોધી શક્તિઓ દ્વારા થનારા દુષ્પ્રચારોનું ખંડન કરવું અને ભારત હિંદુ રાષ્ટ્ર બને, એ માટે જાગૃતિ કરવી, આ પણ મહત્ત્વનું કાર્ય છે. તેથીજ સનાતન સંસ્થા વતીને ૧૨ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરીના સમયગાળામાં સનાતન સંસ્કૃતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સવારે ૯ થી રાત્રે ૯ સુધી બધા માટે ખુલ્લુ રહેશે. કુંભમેળામાં આવેલા અને આવનારા સમસ્ત ભક્તોએ સનાતન ધર્મ સહેલી ભાષામાં સમજી લેવા માટે સનાતન સંસ્કૃતિ પ્રદર્શનને ભેટ આપવી, એવું આવાહન સનાતન સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. ચેતન રાજહંસે કર્યું. કુંભમેળામાંના સેકટર ૯ માં ગંગેશ્વર મહાદેવ માર્ગ પર આયોજિત સનાતન સંસ્થાના શિબિરમાં થયેલી પક્ષકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા. આ સમયે સનાતન સંસ્થાના સાધક શ્રી. સંજય સિંહ અને સૌ. ધનશ્રી કેળશીકર ઉપસ્થિત હતા.
આ સમયે શ્રી. સંજય સિંહે કહ્યું કે, સનાતન સંસ્થા પ્રયાગરાજ ખાતેનાં ૨૦૦૧ના કુંભમેળાના સમયથી પ્રદર્શનના માધ્યમ દ્વારા સનાતન ધર્મ અને હિંદુ રાષ્ટ્ર વિશે જાગૃતિ કરી રહી છે. આ વર્ષે ‘તીર્થમહિમા’ અને ‘હિંદુ રાષ્ટ્ર બોધ’ આ વિશેની માહિતી આપનારા બે સ્વતંત્ર કક્ષ આ પ્રદર્શનમાં હશે. ‘તીર્થમહિમા’ કક્ષમાં ૨ શ્રાદ્ધક્ષેત્ર, ૩ ત્રિસ્થળી યાત્રાના સ્થાનો, ૪ કુંભક્ષેત્રો અને ૭ મોક્ષપુરી વિશેની માહિતી આપવામાં આવી છે. જ્યારે ‘હિંદુ રાષ્ટ્ર બોધ’ કક્ષમાં હિંદુ રાષ્ટ્રના સંદર્ભમાંના આક્ષેપોના ઉત્તરો આપનારી માહિતી છે.
આ પ્રદર્શનમાં ધર્મ, અધ્યાત્મ, સાધના અને રાષ્ટ્રના સંદર્ભમાંના સનાતનના ગ્રંંથોનું પ્રદર્શન લગાડવામાં આવ્યું છે, એવી માહિતી અંતે સૌ. ધનશ્રી કેળશીકરે આપી.