Rajkot,તા.4
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ. સેમ-1ની તા. 16 થી શરૂ થતી પરીક્ષા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા લેવામાં આવતી સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) પરીક્ષા પણ આવનારી તા.16-18-19 એમ બંને એક સાથે હોવાથી અનેક વિદ્યાર્થીઓને બંને પરીક્ષાઓ હોવાથી વિદ્યાર્થીઓ ચિંતામા મુકાયા હોવાથી આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા કુલપતિશ્રીને રજુઆત કરવામા આવી છે.તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે બંને પરીક્ષાઓના સમયપત્રકમા તારીખો લગભગ સમાન હોવાથી વિદ્યાર્થીઓને કેટલીક મહત્વપૂર્ણ તકલીફો થવા પામી છે.
સીએ અને બી.કોમ.બન્ને પરીક્ષાઓ ખૂબ મહત્વપૂર્ણ છે.પરંતુ સીએ જેવી વ્યાવસાયિક પરીક્ષા પાસ કરવા માટે ઊંડાણ પૂર્વકના અભ્યાસની જરૂર પડે છે, જ્યારે બી.કોમ.ની પરીક્ષા યુનિવર્સિટીના અભ્યાસક્રમનું મહત્વપૂર્ણ પરિમાણ ધરાવે છે. બંને પરીક્ષાઓ સમાન સમયગાળામાં આવવાથી યોગ્ય રીતે તૈયારી કરવી મુશ્કેલ છે, જે પરિણામ પર નકારાત્મક અસર કરી શકે છે.
બીજુ કે બન્ને પરીક્ષાઓમાં સતત ઉપસ્થિત રહેવું માનસિક તણાવ અને શારિરિક થાકનું કારણ બની શકે છે, જે વિદ્યાર્થીઓના આરોગ્ય પર નુકસાનકારક અસર કરે છે.ઈઅ અને બી.કોમ.ની પરીક્ષાઓ માટે અલગ-અલગ કેન્દ્રો હોય છે. સતત પરીક્ષાઓ વચ્ચેના ટૂંકા સમયગાળાને કારણે એક કેન્દ્રેથી બીજા કેન્દ્ર સુધી પહોંચવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે.
આઈસીએઆઈ દ્વારા સમગ્ર દેશભરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, અને દેશવ્યાપી સ્તરે તેમનું જાહેર કરેલું સમયપત્રક બદલી શકાય તેવું નથી.બી.કોમ.પરીક્ષાના સમયપત્રકમાં જરૂરી દિવસો માટે આગળ કે પાછળ ફેરફાર કરવામાં આવે.જો તારીખોમાં ફેરફાર શક્ય ન હોય, તો સીએ પરીક્ષાની સાથે ના સંઘર્ષ થાય તે રીતે બી.કોમ.ની પરીક્ષાનું ટાઈમિંગ બદલવામાં આવે.
તેઓએ રજુઆતની અંતમા જણાવ્યુ હતુ કે ઉપરોક્ત બાબતોને ધ્યાનમા રાખી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આપનો માનવતાભર્યો નિર્ણયની અપેક્ષા છે.