ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ગત મોડી રાત્રિના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની વિગતો એવી છે કે, નેશનલ હાઈ-વે પરના રાજુલા નજીક હિંડોરણા બ્રિજ પાસે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના પગલે કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ ઈર્મરજન્સી મારફતે પ્રથમ સ્થાનિક અને બાદમાં વધુ સારવારાર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક યુવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ક્રેનની મદદથી મૃતદેહને કારમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલકને શોધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં સવાર મુસાફરો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે લગ્ન પ્રસંગમાંથી હાજરી આપી સિહોરના વડીયા ગામે પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમને હિંડોરણા નજીક અકસ્માત નડયો હતો.
Trending
- Rajkot સહિત રાજયમાં ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ : ત્રણ સ્થળે 14-ડિગ્રી ઉષ્ણતામાન
- Godhra Fast Track Court નો ચુકાદો હાઈકોર્ટે માન્ય રાખ્યો, ત્રણ વ્યક્તિ નિર્દોષ
- Gir Forest આસપાસના રિસોર્ટસ પર લટકતી તલવાર : હાઈકોર્ટે તપાસ રિપોર્ટ માંગ્યો
- અધિકારીઓને પત્ની કરતા ફાઈલોમાં વધુ રસ! Gadkariની `હળવી શૈલી’માં ચેતવણી
- Delhi માં ત્રાસવાદી હુમલાની તૈયારી હતી : 350 કિલો RDX બે AK-47 ઝડપાઈ
- 11 બોલમાં અર્ધી સદી : મેઘાલયના આકાશ કુમાર ચૌધરી નવો વિશ્વ વિક્રમ સર્જ્યો
- Gandhinagar માંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓમાં પણ એક ડોકટર
- WASHINGTON SUNDAR `ઇમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ’

