Bihar,તા.24
બિહારમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં નીતિશ કુમારની સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. જેમાં બિહાર સરકાર રાજ્યમાં પેપર લીક અને હેરાફેરી વિરુદ્ધ બિલ લાવવા જઈ રહી છે. આ બિલ બુધવારે જ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. જેમાં પેપર લીક કે હેરાફેરીમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
બિલની મુખ્ય જોગવાઈઓ શું છે?
પેપર લીક અને હેરાફેરીને રોકવા માટે નીતીશ કુમારની સરકાર આજે વિધાનસભામાં બિહાર પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કરશે. આ બિલમાં એવી જોગવાઈ છે કે પેપર લીક કે તેનાથી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ લોકો આ કાયદા હેઠળ દોષિત ગણવામાં આવશે. તેમજ ગુનેગારોને 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર હશે.
અગાઉ, પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકારે દેશમાં પેપર લીક વિરોધી કાયદો પણ લાગુ કર્યો છે. આ કાયદાને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 નામ આપવામાં આવ્યું છે. પેપર લીકના દોષિતોને ત્રણ વર્ષથી 10 વર્ષની જેલ અને 10 લાખથી એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.
યુપીમાં પણ કાયદો લાગુ કરવામાં આવ્યો છે
યોગી સરકારે તાજેતરમાં ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024ની રજૂઆતને મંજૂરી આપી હતી. આ અંતર્ગત જો પેપર લીકમાં દોષિત ઠરશે તો 2 વર્ષથી આજીવન કેદની સજા અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થશે.