ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોના વાયરસના વધુ ૪ કેસ નોંધાયા છે, જેમાં શહેરના જવેલ્સ સર્કલ વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષના પુરૂષ (ટ્રાવેલ હિસ્ટ્રી સુરેન્દ્રનગર), વિદ્યાનગરમાં રહેતા ર૩ વર્ષના પુરૂષ, ખેડૂતવાસમાં રહેતા રર સ્ત્રી (ટ્રાવેલ હિસ્ટ્રી મહુવા) અને ભરતનગર વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષના સ્ત્રી વગેરેનો સમાવેશ થાય છે. આ દર્દીઓની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે. શહેરમાં આજે વધુ ર દર્દી કોરોના મૂક્ત થયા હતાં. શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૯ દિવસમાં કોરોનાના કુલ ૩૯ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૮ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના રપ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
Trending
- Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી
- Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા
- Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા
- Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું
- PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના
- શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું દુ:ખ : Ahmedabad દુર્ઘટના વિશે મોદીએ શોક દર્શાવ્યો
- અંજલીબેન, ભંડેરી-ભારદ્વાજ પરિવાર બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા
- Ahmedabad માં પ્લેન ક્રેશ | CM ભૂપેન્દ્ર પટેલ અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા