ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોના વાયરસના વધુ ૪ કેસ નોંધાયા છે, જેમાં શહેરના જવેલ્સ સર્કલ વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષના પુરૂષ (ટ્રાવેલ હિસ્ટ્રી સુરેન્દ્રનગર), વિદ્યાનગરમાં રહેતા ર૩ વર્ષના પુરૂષ, ખેડૂતવાસમાં રહેતા રર સ્ત્રી (ટ્રાવેલ હિસ્ટ્રી મહુવા) અને ભરતનગર વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષના સ્ત્રી વગેરેનો સમાવેશ થાય છે. આ દર્દીઓની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે. શહેરમાં આજે વધુ ર દર્દી કોરોના મૂક્ત થયા હતાં. શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૯ દિવસમાં કોરોનાના કુલ ૩૯ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૮ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના રપ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
Trending
- Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
- ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
- Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
- Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
- Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
- Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
- Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
- Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા