ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોના વાયરસના વધુ ૪ કેસ નોંધાયા છે, જેમાં શહેરના જવેલ્સ સર્કલ વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષના પુરૂષ (ટ્રાવેલ હિસ્ટ્રી સુરેન્દ્રનગર), વિદ્યાનગરમાં રહેતા ર૩ વર્ષના પુરૂષ, ખેડૂતવાસમાં રહેતા રર સ્ત્રી (ટ્રાવેલ હિસ્ટ્રી મહુવા) અને ભરતનગર વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષના સ્ત્રી વગેરેનો સમાવેશ થાય છે. આ દર્દીઓની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે. શહેરમાં આજે વધુ ર દર્દી કોરોના મૂક્ત થયા હતાં. શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૯ દિવસમાં કોરોનાના કુલ ૩૯ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૮ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના રપ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
Trending
- 16 એપ્રિલ નું પંચાંગ
- 16 એપ્રિલ નું રાશિફળ
- મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે
- સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
- Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો
- Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો
- Trump સંકેત આપ્યો છે કે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ શકે છે
- પાકિસ્તાનની એક હોસ્પિટલમાં સિરીંજનો વારંવાર ઉપયોગ કરવાથી ૩૦૦ થી વધુ બાળકો HIV માટે પોઝિટિવ આવ્યા

