New Delhi,તા,04
IPL 2026 ની સાતમી મેચ 3 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે સતત બીજી વખત IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.
ગુજરાત ટાઇટન્સ સામેની પહેલી મેચમાં સ્લો ઓવર રેટ બદલ શ્રેયસ ઐયરે પણ દંડ ફટકાર્યો હતો. ઐયરે હવે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ આ જ ભૂલનું પુનરાવર્તન કર્યું છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ધીમી ઓવર રેટ જાળવવા બદલ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિઝનમાં તેની ટીમની આ બીજી ભૂલ હતી, જે ઈંઙક આચારસંહિતાના કલમ 2.22 હેઠળ આવે છે.
પંજાબ કિંગ્સની સમગ્ર પ્લેઇંગ ઇલેવન, જેમાં ઇમ્પેક્ટ ખેલાડીઓનો સમાવેશ થાય છે, તેમને 6 લાખ અથવા તેમની મેચ ફીના 25%, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

