Jammu,તા.13
હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા આગામી 3 જુલાઈથી શરૂ થવાની છે તે પુર્વે 15 જુલાઈથી તેનું રજીસ્ટ્રેશન શરૂ કરવાનુ જાહેર કરાયુ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 57 દિવસ ચાલશે અને 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગષ્ટે ખત્મ થશે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું છે. 13થી70 વર્ષના યાત્રાળુઓ યાત્રા કરી શકશે. દેશભરની 556 બેંક બ્રાંચો તથા ઓનલાઈન ધોરણો રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામા આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક તથા યસ બેંકને રજીસ્ટ્રેશન પ્રોસેસમાં જોડવામાં આવી છે.
પહેલગામ તથા બાલતાલ એમ બે રૂટ પરથી યાત્રા યોજાશે. પ્રથમ પુજા 19 જુને જેઠ પૂર્ણિમાના દિવસે થશે. યાત્રા માટેનુ રજીસ્ટ્રેશન આધાર આધારિત બાયોમેટ્રીક છે. કેવાયસી વેરીફીકેશન મારફત થશે શ્રાઈન બોર્ડના પોર્ટલ મારફત ઓનલાઈન પરમીટ ઈસ્યુ થશે. યાત્રાળુઓએ ડોકટરનું હેલ્થ સર્ટીફીકેટ મેળવવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ પરમીટ માટે રૂા.150નો ચાર્જ વસુલવામાં આવશે.

