Mumbai,તા.13
ક્રિકેટના ધુરંધરો અને ધુંઆધાર બેટસમેનોથી શોરગુલ રહેનાર વાનખેડે સ્ટેડીયમ જાણે ગમગીન બની ગયું હતું. ક્રિકેટની પ્રશંસક આશા ભોસલેના નિધનથી ખેલાડીઓ અને દર્શકો બન્ને શોકમગ્ન હતા.
સ્ટેડીયમમાં દર્શકો અને ખેલાડીઓએ આશાજીના નિધન પર એક મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલી આપી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મહાન ગાયિકાના નિધન પર શોક વ્યક્ત કરવા માટે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી.
આઈપીએલ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મેચની શરૂઆત પહેલા આશા ભોસલેને યાદ કરવામાં આવ્યા હતા. આરસીબીની ઈનીંગમાં સ્ટેડીયમ સાઉન્ડ સીસ્ટમ પર મેચ દરમિયાન મળનારા બ્રેક સમયે આશા ભોસલેના જાણીતા ગીતો વગાડાયા હતા.

