Mumbai,તા.17
IPLમાં પંજાબ કિંગ્સ સામે સાત વિકેટથી મળેલી હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ જીતનો શ્રેય વિરોધી ટીમને આપતા કહ્યું કે તેમની પાસે તેમના નબળા પ્રદર્શન વિશે કહેવા માટે કંઈ નથી અને તેમણે પાછળ બેસીને જોવાની જરૂર છે કે ખામીઓ ક્યાં છે. ચાલુ સિઝનમાં મુંબઈનો આ સતત ચોથો પરાજય હતો અને ટીમ બે પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
મેચ પછી પંડ્યાએ કહ્યું, “સાચું કહું તો, મારી પાસે કહેવા માટે વધુ કંઈ નથી. આપણે બેસીને વિચારવાની જરૂર છે કે આપણે ક્યાં પાછળ છીએ, પછી ભલે તે વ્યક્તિગત ખેલાડીઓ હોય, ટીમ હોય કે આપણી યોજના અને અભિગમ હોય. આપણે તેને સુધારવાની જરૂર છે.”
જીત માટે પંજાબ કિંગ્સને શ્રેય આપતા પંડ્યાએ કહ્યું, “પંજાબ કિંગ્સ આનો શ્રેય મેળવવાને પાત્ર છે. બોલ રિવર્સ સ્વિંગ થવા લાગ્યો. બીજી ઇનિંગમાં ઝાકળ પડી ગઈ હતી. તેઓએ અમને હરાવ્યા.
તેમની બોલિંગ અને ફિલ્ડિંગ અમારા કરતા સારી હતી. હવે આપણે જોવાનું છે કે શું આપણે કેટલાક કઠિન નિર્ણયો લેવાની જરૂર છે કે શું આપણે ફક્ત આગળ વધતા રહેવું જોઈએ અને પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે આપણી જાત માટે જવાબદારી લેવી પડશે.”

