જામનગર તા ૩1
જામનગરમાં રણજીત રોડ પર તાજેતરમાં મોડી રાત્રે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને રિક્ષામાં બેઠેલા ત્રણ યુવાન ગંભીર સ્વરૂપે ગાયલ થયા હતા.
જે અકસ્માત સર્જીને ભાગી છુટેલા કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરમાં જોડીયા ભુંગા વિસ્તારમાં રહેતો નવાજ અકબરભાઈ કેર નામનો ૨૮ વર્ષનો યુવાન ગત ૧૮ તારીખે મોડી રાત્રે પોતાની રીક્ષા લઈને રણજીત રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે.-૩ એચ. કે. ૪૪૦૯ નંબરની મારુતિ સુઝુકી અલ્ટો કાર ના ચાલકે રિક્ષા ને ઠોકર મારી દીધી હતી, અને કારચાલક પોતાનું વાહન છોડીને ભાગી છૂટ્યો હતો.
જે અકસ્માતમાં રીક્ષા નો ભૂકકો બોલી ગયો હતો, અને તેમાં ભારે નુકસાની થઈ હતી. આ ઉપરાંત રિક્ષાચાલકને શરીરના અલગ અલગ ભાગોમાં ઈજા થઈ હતી, અને ટાંકા લેવા પડ્યા હતા.
ઉપરાંત રીક્ષા માં બેઠેલા તેના માસીના દીકરા વસીમભાઈ તેમજ મયુદ્દીનભાઈ નામના અન્ય બે યુવાનો પણ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, અને તેઓને પણ ટાંકા લેવા પડ્યા હતા.
આ અકસ્માતના બનાવ અંગે નવાઝભાઈ કેર એ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અલ્ટો કાર ના ચાલક સામે અકસ્માત સર્જવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ કાર ચાલકને શોધી રહી છે.