Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો
    • Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»ચૂંટણીમાં એક તરફ સંભાજી મહારાજને માનનારા દેશભક્તો છે બીજી તરફ ઔરંગઝેબને સમર્થન કરનારા :PM
    અન્ય રાજ્યો

    ચૂંટણીમાં એક તરફ સંભાજી મહારાજને માનનારા દેશભક્તો છે બીજી તરફ ઔરંગઝેબને સમર્થન કરનારા :PM

    Vikram RavalBy Vikram RavalNovember 14, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maharashtra,તા.૧૪

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ સંભાજીનગરમાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વિચારધારાની મહત્વપૂર્ણ લડાઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૂંટણીમાં એક તરફ સંભાજી મહારાજને માનનારા દેશભક્તો છે તો બીજી તરફ ઔરંગઝેબને સમર્થન કરનારા લોકો છે. મોદીએ કહ્યું કે, જે લોકો સંભાજી મહારાજના હત્યારામાં પોતાનો મસીહા જુએ છે, શું તેઓ મહારાષ્ટ્રની ઓળખના વિરોધી નથી?

    મોદીએ મહારાષ્ટ્રના લોકોને યાદ અપાવ્યું કે છત્રપતિ સંભાજીનગરનું નામકરણ કરવાની માંગ સૌપ્રથમ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ કરી હતી. મહા વિકાસ આઘાડી સરકાર પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે તેમની સરકાર અઢી વર્ષ સત્તામાં હોવા છતાં આ માંગ પૂરી કરી શકી નથી. તેમણે કહ્યું કે મહાયુતિની સરકાર સત્તામાં આવતાની સાથે જ બાળાસાહેબની ઈચ્છા પૂરી કરીને શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર રાખવામાં આવ્યું.

    મોદીએ કહ્યું કે છત્રપતિ સંભાજીનગરના નામકરણને કારણે કોંગ્રેસ અને મહા વિકાસ આઘાડીને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમણે આરોપ લગાવ્યો કે એમવીએ સાથી પક્ષો કોર્ટમાં આ નિર્ણયને પલટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે સત્તા માટે હંમેશા સમાજમાં વિભાજનની રાજનીતિ કરી છે અને વિકાસને બદલે વિભાજનની રાજનીતિ પર આધાર રાખ્યો છે.

    વડાપ્રધાને અનામત અંગે કોંગ્રેસની વિચારસરણી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા અનામતનો વિરોધ કર્યો છે અને તેને દેશના વિકાસની વિરુદ્ધ ગણાવ્યો છે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસનો એજન્ડા સમાજમાં ભાગલા પાડીને સત્તા મેળવવાનો છે અને એસસી, એસટી અને ઓબીસી સમાજને વિભાજિત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

    મોદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ છેલ્લા દસ વર્ષથી ઓબીસી વડાપ્રધાનને સહન કરી શકી નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ વિદેશમાં જઈને ખુલ્લેઆમ અનામત ખતમ કરવાની વાત કરે છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને સ્ફછ સાથે ગઠબંધનમાં લોકો સમાજને નાની જાતિઓમાં વહેંચવાનું ષડયંત્ર કરી રહ્યા છે જેથી તેમની રાજકીય શક્તિ નબળી પડી શકે.

    વડાપ્રધાને કલમ ૩૭૦નો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે કોંગ્રેસ તેની પુનઃસ્થાપનાની માંગ કરીને ’પાકિસ્તાનની ભાષા’ બોલી રહી છે. તેમણે કહ્યું કે તેમની સરકારે કલમ ૩૭૦ હંમેશ માટે નાબૂદ કરી દીધી છે અને દેશ તેને ફરીથી લાગુ કરવાની કોઈપણ માંગને ક્યારેય સ્વીકારશે નહીં.

    મરાઠવાડામાં જળ સંકટનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારે આ સમસ્યા પર કોઈ નક્કર પ્રયાસો કર્યા નથી અને હંમેશા નિષ્ક્રિય રહી છે. મોદીએ કહ્યું કે તેમની સરકારે પહેલીવાર દુષ્કાળ સામે નક્કર પ્રયાસો કર્યા છે અને લોકોને રાહત આપવાનું કામ કર્યું છે.

    વડા પ્રધાને મહારાષ્ટ્રના લોકોને એમવીએને સત્તામાં આવવાની તક ન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જો આ લોકો સત્તામાં આવશે તો તમારે પાણીના દરેક ટીપા માટે તડપવું પડશે. ’ભાજપ – મહાયુતિ આહે, તાર ગતિ આહે, મહારાષ્ટ્રની પ્રગતિ આહે’ સૂત્ર આપતા મોદીએ જનતાને ભાજપ અને મહાયુતિને સમર્થન આપવા અપીલ કરી હતી.

    પીએમ મોદીએ રેલીમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અનામત સાથે છેડછાડ કરીને એસસી-એસટી સમુદાયમાં ભાગલા પાડવા માંગે છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના રાજકુમારો અનામત ખતમ કરવા માંગે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે કલમ ૩૭૦ પાછી લાવવાની વાત કરી છે, જે તેની માનસિકતા દર્શાવે છે.

    કોંગ્રેસ પર પાકિસ્તાનની ભાષા બોલવાનો આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપે જમ્મુ-કાશ્મીરને કલમ ૩૭૦થી આઝાદી અપાવી, પરંતુ કોંગ્રેસ હવે બીજી ભાષા બોલી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ જાતિ અને અનામતના નામે લડાઈ લડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેની યોજનાઓ સફળ નહીં થાય. પીએમ મોદીએ કહ્યું કે, મહાવિકાસ અઘાડી પર પણ હુમલો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે એમવીએ સરકારની વાપસી મહારાષ્ટ્રના હિતમાં નથી.

    પીએમએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં વિકાસના આ મહાન યજ્ઞની સાથે સાથે અમારી સરકાર વિરાસતની વિધિ પણ કરી રહી છે. ભગવાન વિઠ્ઠલના ભક્તોની સુવિધા માટે અમે પાલકી હાઇવે બનાવ્યો છે. આઘાડી લોકોએ મહારાષ્ટ્રની સમસ્યાઓ વધારવા સિવાય કંઈ કર્યું નથી. મરાઠવાડામાં લાંબા સમયથી જળ સંકટ છે, પરંતુ કોંગ્રેસ અને આઘાડી હંમેશા નિષ્ક્રિય રહ્યા છે. અમારી સરકારમાં પહેલીવાર દુષ્કાળ સામે નક્કર પ્રયાસો શરૂ થયા.

    પીએમ મોદીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ અને અઘાડી એસસી, એસટી અને ઓબીસીમાં ભાગલા પાડવાનું કાવતરું કરી રહ્યા છે. કોંગ્રેસનો એજન્ડા હજુ પણ એ જ છે તેથી જ તેઓ છેલ્લા ૧૦ વર્ષથી ઓબીસી સમુદાયના વડાપ્રધાન તરીકે સહન કરી શકતા નથી. આ દિવસોમાં ઇન્ટરનેટ પર જૂના અખબારોની તસવીરો વાયરલ થઈ રહી છે. અનામતને લઈને કોંગ્રેસની વાસ્તવિક વિચારસરણી આમાં દેખાય છે. કોંગ્રેસ અનામતને દેશ અને યોગ્યતા વિરુદ્ધ ગણાવતી હતી. આ પાર્ટી વિકાસમાં નહીં પરંતુ વિભાજનમાં માને છે.

    Maharashtra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    ટેક્નોલોજી

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    અન્ય રાજ્યો

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.