Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendaranagar: થાન તાલુકાની બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

    September 17, 2025

    પીએમ મોદીનાં જન્મદિને BJP ના દિગ્ગજ નેતાઓ વર્ણવે છે:PM સાથેના રસપ્રદ સંસ્મરણો

    September 17, 2025

    Canada માં ફરી ખાલિસ્તાનીનો `ઉપાડો’ : ભારતીય દુતાવાસ પર કબ્જો કરવા ધમકી

    September 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendaranagar: થાન તાલુકાની બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ
    • પીએમ મોદીનાં જન્મદિને BJP ના દિગ્ગજ નેતાઓ વર્ણવે છે:PM સાથેના રસપ્રદ સંસ્મરણો
    • Canada માં ફરી ખાલિસ્તાનીનો `ઉપાડો’ : ભારતીય દુતાવાસ પર કબ્જો કરવા ધમકી
    • Maharashtra ચૂંટણી પંચ પર સુપ્રિમ કોર્ટ ભડકી
    • Russia-Ukraine યુધ્ધ વધુ ભડકશે ! 10 અબજ ડોલરનું સૈન્ય પેકેજ મંજુર કરતા ટ્રમ્પ
    • New York Times સામે 15 બિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો કરતા ટ્રમ્પ
    • Trump સમર્થક મહિલા નેતાએ બ્રિટનમાં મુસ્લીમો સામે ઝેર ઓકયું
    • ચાર જયોતિર્લિંગના દર્શન કરાવતી ખાસ ટ્રેન શરૂ કરવા Railway નો નિર્ણય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Maharashtra માં All Is Not Well? 12 દિવસ પછી પણ 9 મંત્રીઓએ હોદ્દો નહીં સંભાળતાં ચર્ચા શરૂ
    અન્ય રાજ્યો

    Maharashtra માં All Is Not Well? 12 દિવસ પછી પણ 9 મંત્રીઓએ હોદ્દો નહીં સંભાળતાં ચર્ચા શરૂ

    Vikram RavalBy Vikram RavalJanuary 2, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maharashtra,તા.02

    મહારાષ્ટ્રમમાં મહાયુતિએ સરકાર તો બનાવી લીધી પરંતુ, એવું લાગી રહ્યું છે કે ગઠબંધનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ચૂંટણી પહેલાંથી જ ચાલી રહેલો કથિત આંતરિક વિવાદ કેબિનેટ વિસ્તાર બાદ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 25 નવેમ્બરે 39 મંત્રીઓએ શપથ લીધા હતાં, પરંતુ હજુ સુધી 9 મંત્રીઓએ પોતાનું પદ નથી સંભાળ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, આ મંત્રીઓ પોતાનું મનગમતું મંત્રાલય ન મળવાના કારણે નારાજ છે. આ સાથે એવી પણ માહિતી સામે આવી રહી છે કે, નારાજ મંત્રી પોતાના વિભાગ પર ધ્યાન આપવાની બદલે નવા વર્ષની ઉજવણી માટે નીકળી ગયાં છે. 

    20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલાંથી મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદેવાળી શિવસેના અને અજિત પવારવાળી એનસીપી)માં આંતરિક વિવાદની વાત કહેવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સૌથી પહેલાં બેઠકની વહેંચણીને લઈને નારાજગી સામે આવી હતી. ત્યારબાદ જ્યારે અપેક્ષા કરતાં સારા પરિણામ આવી ગયા તો સરકાર રચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 23 નવેમ્બરે પરિણામ આવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે ત્રીજીવાર મુખ્યમંત્રીના રૂપે શપથ લીધા હતાં. જોકે, ગત મુખ્યમંત્રી એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. વળી, અજિત પવાર ફરીથી નાયબ મુખ્યમંત્રી બન્યા હતાં.

    મુખ્યમંત્રી અને મંત્રાલયોને લઈને તણાવ

    લાંબા સમય સુધી રાહ જોયા બાદ રાજ્યને મુખ્યમંત્રી મળી ગયાં, જોકે વાત ફક્ત અહીં ખતમ ન થઈ. બાદમાં મંત્રાલયોને લઈને ગઠબંધનની પાર્ટીઓમાં તણાવ જોવા મળ્યો. ત્રણેય પાર્ટીઓ પોતપોતાની પસંદના મંત્રાલય ઈચ્છતી હતી. જેને લઈને ભાજપ હાઇકમાન્ડ સાથે અજિત પવાર અને એકનાથ શિંદેની દિલ્હીમાં ઘણી બેઠકો પણ જોવા મળી. લાંબી રસાકસી અને તણાવ બાદ આખરે સરકાર બન્યાના 20 દિવસ બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું અને 39 મંત્રીઓએ શપથ લીધા હતાં. તેમાંથી મોટાભાગના નેતાઓએ તો પોતાનું પદ પણ ગ્રહણ કરી લીધું છે. પરંતુ, 9 મંત્રીઓ હજુ પણ એવા છે જેણે શપથ તો લીધા પરંતુ કાર્યભાર સંભાળ્યો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમુક મંત્રી પોતાની પસંદનો વિભાગ ન મળતા નારાજ છે. 

    અજિત પવારે કર્યો સ્વીકાર

    રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ મંત્રી પદના શપથ લેનાર નેતાઓમાં નારાજગીની પુષ્ટિ  કરી છે. એનસીપી પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે, અમુક સભ્ય સ્વાભાવિક રૂપે ખુશ નથી. અજિત પવારનું આ નિવેદન મંત્રીઓના બે વિભાગમાં વહેંચાયા બાદ આવ્યું હતું. એવામાં હવે સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર મજબૂતી સાથે જીતીને તો આવી પરંતુ સરકાર અંદરથી મજબૂત નથી દેખાતી.

    વિપક્ષના પ્રહાર

    પરિણામ આવ્યા બાદથી શરૂ થયેલા મહાયુતિના કથિત આંતરિક વિવાદ પર વિપક્ષે શરૂઆતથી પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હતું. મંત્રીઓના પદ ન સંભાળવાને લઈને એનસીપી (શરદ પવાર) પ્રવક્તા મહેશ તાપસેએ સરકાર પર નિશાનો સાધતા કહ્યું, ‘વર્તમાન સરકારના મંત્રીઓને ખબર છે કે, સરકાર પાસે હવે આર્થિક નિયોજન અને સરકાર ચલાવવા માટે જે પ્લાનિંગ હોય છે, તે નથી. તેથી અમુક મંત્રીઓ આરામથી બેઠા છે.’

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં 20 નવેમ્બરે પહેલાં તબક્કામાં આખા રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 66.05 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પરિણામમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન (ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) એ 288 સભ્યવાળી વિધાનસભામાં 235 બેઠકો સાથે જીત હાંસલ કરી હતી. જોકે, વિપક્ષી મહાવિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધન (કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે શિવસેના અને શરદ પવારની એનસીપી)ની કોઈપણ પાર્ટી વિપક્ષ નેતાના પદ માટે આવશ્યક બેઠકો પણ નથી જીતી શક્યાં, જે છ દાયકામાં પહેલીવાર જોવા મળ્યું છે. 

    Ajit Pawar Devendra Fadnavis Eknath Shinde Mahabharata
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ

    September 16, 2025
    અન્ય રાજ્યો

    Dehradun માં સહસ્ત્રધારામાં વાદળ ફાટયું : અનેક દુકાનો તણાઈ, બે લોકો લાપતા

    September 16, 2025
    અન્ય રાજ્યો

    Rahul Gandhi એ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પીડિતોને મળ્યા

    September 15, 2025
    અન્ય રાજ્યો

    Modi ની મુલાકાત બાદ મણીપુરમાં ફરી હિંસા : પોષ્ટર – કટઆઉટ સળગાવાયા

    September 15, 2025
    અન્ય રાજ્યો

    ચોમાસાની વિદાય વેળાએ Mumbai ફરી પાણી-પાણી : આફતનો વરસાદ

    September 15, 2025
    અન્ય રાજ્યો

    એ લોકોના ધર્મોમાં મહિલાને baby, Bibi કહે છે હિન્દુ ધર્મમાં દેવી કહેવામાં આવે છે: રામભદ્રાચાર્ય

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendaranagar: થાન તાલુકાની બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

    September 17, 2025

    પીએમ મોદીનાં જન્મદિને BJP ના દિગ્ગજ નેતાઓ વર્ણવે છે:PM સાથેના રસપ્રદ સંસ્મરણો

    September 17, 2025

    Canada માં ફરી ખાલિસ્તાનીનો `ઉપાડો’ : ભારતીય દુતાવાસ પર કબ્જો કરવા ધમકી

    September 17, 2025

    Maharashtra ચૂંટણી પંચ પર સુપ્રિમ કોર્ટ ભડકી

    September 17, 2025

    Russia-Ukraine યુધ્ધ વધુ ભડકશે ! 10 અબજ ડોલરનું સૈન્ય પેકેજ મંજુર કરતા ટ્રમ્પ

    September 17, 2025

    New York Times સામે 15 બિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો કરતા ટ્રમ્પ

    September 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendaranagar: થાન તાલુકાની બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

    September 17, 2025

    પીએમ મોદીનાં જન્મદિને BJP ના દિગ્ગજ નેતાઓ વર્ણવે છે:PM સાથેના રસપ્રદ સંસ્મરણો

    September 17, 2025

    Canada માં ફરી ખાલિસ્તાનીનો `ઉપાડો’ : ભારતીય દુતાવાસ પર કબ્જો કરવા ધમકી

    September 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.