ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- Rajkotમાં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ
- આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં
- હવે E-25 પેટ્રોલ લાવશે સરકાર: મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ
- Hyderabadના Rajiv Gandhi International Airportમાં Bombની ધમકીથી અફડાતફડી
- West Bengalમાં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે
- કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: આઠમા પગાર પંચમાં લઘુતમ પગાર ₹18,000થી વધારીને ₹69,000 કરવાનો પ્રસ્તાવ
- Heat wave: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ
- Heat wave: આવતીકાલે (28મી એપ્રિલ) રાજકોટ સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’

