ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે અનેક સ્થળોએ પરંપરાગત રીતે કમળા હોળી પ્રગટાવાઈ હતી હવે આવતીકાલે તા.૧૩ ને ગુરૂવારે મોડી સાંજે શુભ મુર્હૂતે મોટી હોળી પ્રગટાવવામાં આવશે.અને મોડી રાત્રી સુધી હોળીના દર્શનાર્થે લોકો ઉમટી પડશે.આજની તારીખે પણ હોલીકાની પ્રદક્ષિણાનું અનન્ય મહાત્મ્ય હોય હોલીકા પ્રાગટય બાદ સ્થાનિક રહીશો ખાસ કરીને નવપરિણીત દંપતિઓ શ્રીફળ,ધાણી, દાળીયા, ખજુર સાથે જળની ધારાવડી કરવા માટે ઉમટી પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં હોલીકા પ્રાગટય બાદ બહેનો દ્વારા કર્ણપ્રિય કિર્તન સાથે રાસની રમઝટ બોલાવાશે. હોળાષ્ટકની સમાપ્તી થતાની સાથે જ ગોહિલવાડમાં ફરી વખત માંગલિક કાર્યોનો ધમધમાટ શરૂ થશે.શહેરના આતાભાઈ ચોક મિત્રમંડળ તેમજ કેસરી મિત્રમંડળ દ્વારા ૧૯૭૫ના વર્ષથી હોલિકાદહન યોજાઈ રહેલ છે. જેમાં ગાયના છાણા, શુધ્ધ ઘી, વિવિધ પ્રકારની હવન સામગ્રીઓ તથા ગુગળથી વાતાવરણ શુધ્ધ બનાવાશે. આ સાથે વિવિધ પ્રકારના ધાનનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત તખ્તેશ્વર, પાનવાડી, ઘોઘાસર્કલ, કણબીવાડ, કરચલીયા પરા,કાળીયાબીડ સહિતના અનેક સ્થળોએ પણ હોળીકા પ્રાગટય કરાશે.
Trending
- Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો
- Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો
- Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા
- Rajkot ભક્તિધામ સોસાયટી માંથી વિદેશી દારૂ સાથે કમલેશ ગોહેલ ની ધરપકડ
- Rajkot: બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં દીલીપ પટેલની સહ અધ્યક્ષ તરીકે નિમણૂક
- Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સાદી કેદ
- Rajkot: કારના અકસ્માતનો નુકશાની વળતરનો દાવો મંજુર, રૂા.૧૧,૩૬લાખ ચૂકવવા હુકમ
- અગ્નિકાંડ કેસમા વધુ ,તા. 22મીએ સુનાવણી: પીએમ કરનાર તબીબને જુબાની માટે સમન્સ