જયવર્ધને આ અંગે વધુમાં કહ્યું કે, બુમરાહ સારા મૂડમાં છે, તેની ગેરહાજરી અમારા માટે એક પડકાર છે
New Delhi, તા.૧૯
મુંબઈ ઈન્ડિયન્સ છઠ્ઠું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે ૈંઁન્ ૨૦૨૫માં પ્રવેશવા જઈ રહી છે. જોકે, ટીમનો સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ હાલમાં ઈજાગ્રસ્ત છે. જો કે મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધને બુમરાહની સ્થિતિ વિશે ખુલાસો કર્યો હતો. મહેલા જયવર્ધને બુધવારે, ૧૯ માર્ચ, ૨૦૨૫ના રોજ મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે, જસપ્રીત દ્ગઝ્રછમાં છે. તેણે હમણાં જ તેની પ્રગતિ શરૂ કરી છે. અમારે રાહ જોવી પડશે અને જોવું પડશે કે તેની બીસીસીઆઈની મેડિકલ ટીમ શું પ્રતિક્રિયા આપે છે. હાલ બધું બરાબર ચાલી રહ્યું છે. જયવર્ધને આ અંગે વધુમાં કહ્યું કે, બુમરાહ સારા મૂડમાં છે. તેની ગેરહાજરી અમારા માટે એક પડકાર છે. તે વિશ્વના સવર્શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે અને ઘણા વર્ષોથી અમારા માટે શાનદાર ખેલાડી રહ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં યુવા ખેલાડી માટે પોતાની ઓળખ બનાવવાની આ એક સારી તક હોઈ શકે છે. આ ઉપરાંત બુમરાહની ફિટનેસને લઈને હાર્દિક પંડ્યાએ પણ અપડેટ આપી હતી. ૧૯ માર્ચે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, જસપ્રીત બુમરાહ પ્રથમ મેચમાં રમી શકશે નહીં. તે ફિટ નથી. ૈંઁન્ ૨૦૨૫માં મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. જસ્સી આ મેચમાં મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકશે નહીં. તે હાલમાં એનસીએમાં છે. બુમરાહને હજુ સુધી મેચ રમવા માટે લીલી ઝંડી મળી નથી. આ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ આ મેચમાં નહીં રમે. તેના પર એક મેચનો પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ સંભાળશે. મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચમાં હાર્દિક અને જસ્સી નહીં રમે. જે ટીમ માટે ખરેખર એક મોટો પડકાર છે.