Morbiતા.29
મોરબી પોલીસ લોક દરબાર સહિતની વિવિધ કામગીરી કરતી હોવા છતાં વ્યાજખોરોનો ત્રાસ હજુ પણ યથાવત છે તેના અનેક જીવંત ઉદાહરણ જોવા મળી રહ્યા છે જેમાં મોરબીના વેપારી યુવાને વ્યાજે લીધેલા ૪૦ લાખના ૫૯ લાખ ચૂકવ્યા બાદ પણ ત્રણ ઇસમોએ કારમાં બેસાડી અપહરણ કરી માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના રાજપર ગામે રહેત હરેશભાઈ ગોરધનભાઈ વડગાસીયા (ઉ.વ.૩૪) નામના યુવાને આરોપીઓ રવિભાઈ સવજીભાઈ મારવણીયા, કેલ્વીનભાઈ પટેલ અને વિશાલભાઈ વિનોદભાઈ પારેજીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી હરેશભાઈએ આરોપી રવિભાઈ પાસેથી રૂ ૨૦ લાખ ૩૦ ટકા વ્યાજે લીધા હતા અને રૂ ૩૨ લાખ ચૂકવી આપ્યા છે તેમ છતાં રૂપિયા ચુકવવા અવારનવાર ફોન કરી અને રૂબરૂ આવી ધમકી આપે છે તેમજ આરોપી વિશાલ પાસેથી કટકે કટકે રૂપિયા ૨૦ લાખ ૧૫ % અને ૩૦ % વ્યાજે લીધા હતા જેના રૂ ૨૭ લાખ ચૂકવી આપ્યા છે છતાં આરોપી વિશાલના સાઢુભાઈ કેલ્વીન પટેલ વ્યાજે આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા હતા
ગત તા. ૨૭ માર્ચના રોજ લખધીરપુર પ્રાથમિક શાળાના મેઈન ગેટ પાસે બોલાવી આરોપીઓએ બળજબરીથી સ્વીફ્ટ ગાડીમાં અપહરણ કરી લઇ ગયા હતા અને શરીરે મુંઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે