પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રાણિકા,જુના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ઇન્કમટેક્સ વિભાગમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હરેશભાઈ પરસોતમભાઈ મેર ,તેમના પત્ની આરતીબેન ,દિકરી મનાલી ,દિકરો રૂષિન માતા સવિતાબેન ,મોટા બેન દેવુબેન નટુભાઈ ગોહેલ, રેખાબેન અરવિંદભાઈ ચુડાસમા, બેન ગીતાબેન જેન્તીભાઈ ડાભી, રેખાબેનના દીકરા મિતુલની દીકરી વિંજલબેન તેમના વિસ્તારમાં રહેતા ધનેશભાઈ રણછોડભાઈ ચુડાસમાની રીક્ષા નંબર જી.જે.૦૪ – ડબલ્યુ ૧૨૧૭ માં ચૈત્ર માસની અમાસ હોવાથી કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શને ગયા હતા. અને સાંજના સમયે ભાવનગર પરત ફરી રહ્યા હતા ત્યારે ભુંભલી ગામ નજીક આવેલ નાની સડક પાસે પાછળથી કાર નંબર જી.જે.૦૪ – સી.જે.૩૪૫૬ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રીક્ષા સાથે અથડાવી દેતારીક્ષા ખાળીયામાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતની આ ઘટનામાં રીક્ષામાં બેઠેલા મુસાફરોને નાનીમોટી ઇજા થતા તમામને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માત હરેશભાઈના બહેન રેખાબેન અરવિંદભાઈ ચુડાસમા ( રહે.રાણીકા,ભાવનગર ) નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે હરેશભાઈએ ઘોઘા પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
- Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
- જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
- 09 નવેમ્બર નું પંચાંગ
- 09 નવેમ્બર નું રાશિફળ
- Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
- Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
- રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું

