ભાવનગર શહેર અને જિલ્લામાં ગત પખવાડીયા દરમિયાન પડેલાં કમોસમી વરસાદ બાદ ગત સપ્તાહે અરબી સમુદ્રમાં સર્જાયેલાં હવાના દબાણના કારણે ચક્રવાત અને તેના આધારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે રાજ્યના હવામાન વિભાગે ગત શુક્રવારથી પાંચ દિવસ માટે ભાવનગર જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરી હતી અને પાંચ દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાં છૂટાછવાયાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી હતી. આ આગાહીના પગલે એક તરફ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. તો, બીજી તરફ ફરી માવઠાંને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા.સદ્દનસીબે ચક્રવાતની અસર ટળતાં ગત શનિવારે ભાવનગરનું વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું અને કયાંય વરસાદ નોંધાયો ન હતો. એ જ રીતે આજે પણ સતત બીજા દિવસે સવારથી સૂર્યદેવની વાદળો વચ્ચે સંતાકુકડી વચ્ચે ધૂંપ-છાંવ સાથે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. એટલું જ નહીં, આજે સતત બીજા દિવસે પણ શહેર અને જિલ્લામાં કયાંય વરસાદ નોંધાયો ન હતો. તો, વરસાદ અને ભારે પવનની આગાહીને લઈ અલંગ પોર્ટ પર મુકવામાં આવેલું એક નંબરનુ સિગ્નલ પણ આજે બપોર બાદ ઉતારી લેવામાં આવ્યું હતું.
Trending
- Porbandar; મહિલાની હત્યામાં બે પિતરાઈ બહેનને આજીવન કેદ
- Rajkot; રાજકોટમાં વધુ એક લોથ ઢળી,શ્રમિકની કરપીણ હત્યા
- Gondal; કારમાંથી રૂપિયા 2.71 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- Bhavnagar: તળાજા ના ટીમાણા ગામે થી રૂ 4.07 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- Jamnagar: જામજોધપુરમાં ચાર સ્થળે જુગારના દરોડા
- Junagadh વાહન અકસ્માતમાં દંપતીના મૃત્યુ કેસમા વ્યાજ સહિત 2.20 કરોડનું વળતર મંજૂર
- Rajkot માં બે સ્થળે જુગાર ધામ ઝડપાયું
- મંદિર ખાનગી હોઈ શકે છે, પરંતુ ભગવાન દરેકના છે: Supreme Court