New Delhi,તા.૭
રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના એકસ હેન્ડલ પર કહ્યું કે ’ઈદ-ઉઝ-ઝુહાના શુભ પ્રસંગે, હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આ તહેવાર બલિદાન, શ્રદ્ધા અને અનેક આદર્શોનું મહત્વ સમજાવે છે. ચાલો આપણે બધા આ શુભ પ્રસંગે સમાજ અને દેશ માટે સમર્પણની ભાવના સાથે કામ કરવાની પ્રતિજ્ઞા લઈએ’. તે જ સમયે, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં એમ પણ કહ્યું, ’ઈદ-ઉલ-અઝહાની હાર્દિક શુભેચ્છાઓ. આ પ્રસંગ આપણા સમાજમાં સંવાદિતાને પ્રેરણા આપે અને શાંતિના તાણાવાણાને મજબૂત બનાવે. હું દરેકને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવું છું’.
રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઉપરાંત, ઘણા અન્ય નેતાઓએ પણ ઈદ-ઉઝ-ઝુહાની શુભેચ્છા પાઠવી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હું બધાને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે આ ઈદ જમ્મુ અને કાશ્મીર, આ દેશ અને વિશ્વના મુસ્લિમો માટે સારા દિવસો, શાંતિ અને ભાઈચારો લાવે.
આ પ્રસંગે, જ્યારે આપણે બધા ઈદની ખુશી ઉજવી રહ્યા છીએ, ત્યારે મને વ્યક્તિગત રીતે દુઃખ છે કે આજે ફરી એકવાર શ્રીનગરની ઐતિહાસિક જામા મસ્જિદમાં ઈદની નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવી નથી. મને ખબર નથી કે આ નિર્ણયો કયા આધારે લેવામાં આવ્યા છે, પરંતુ કોઈ દિવસ આપણે આપણા લોકો પર વિશ્વાસ કરવો પડશે… આજે ફરી એકવાર જામા મસ્જિદમાં ઈદની નમાઝ અદા કરવાની પરવાનગી આપવામાં આવી નથી. મને લાગે છે કે કોઈ દિવસ સરકારે આ વિશે વિચારવું જોઈએ