શહેરમાં આજે નોંધાયેલાં કોરોનાના પાંચ કેસની વિગત આપતાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, શહેરના આંબવાડી વિસ્તારમાં રહેતા અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં પપ વર્ષીય આધેડ પુરૂષ, ઉપરાંત, ૪પ વર્ષના મહિલા, ૬૭ વર્ષના પ્રૌઢ પુરૂષ તથા વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા અને અનંતવાડી વિસ્તારમાં રહેતા ર૪ વર્ષનો યુવાન કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ તમામની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા, જયાં તમામના રિપોર્ટ કરાતાં તમામ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. પરંતુ, તમામની તબિયત સારી હોવાથી હાલ તમામ વ્યકિતઓ પોતાના ઘરે સારવાર હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું. જો કે, બીજી તરફ, શહેરમાં આજે કોઈ દર્દી કોરોનામુક્ત થયા ન હતા. ઉલ્લેખનિય છે કે, શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૮ દિવસમાં કોરોનાના કુલ ૩પ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૪ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ, શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧ દર્દી કોરોનામુકત થયા છે, જયારે કોરોનાના ર૩ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ તાકિદ કરી છે.
Trending
- નેહરુને ફક્ત ચીન યુદ્ધ દ્વારા, અડવાણીને ફક્ત રથયાત્રા દ્વારા ન જુઓ; MP Shashi Tharoor
- પાછલી સરકારો દરમિયાન આતંકવાદીઓ સામે કાર્યવાહી ઢીલી હતી,ગૃહમંત્રી Amit Shah
- લોકો મને મારી નાખશે, મારા ઘણા દુશ્મનો છે,Tej Pratap Yadav
- Thiruvananthapuram ના પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગુમ થયેલ સોનું મળ્યું
- મુકેશ અંબાણીએ તિરુમાલામાં એક આધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરી
- ઘણી વસ્તુઓ નોંધાયેલ નથી. હિન્દુ ધર્મ પણ નોંધાયેલ નથી,Mohan Bhagwat
- રાજકારણમાં સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ,લગભગ દરેક ઉમેદવાર પાસે હવે પોતાનો વોર રૂમ છે
- 10 નવેમ્બર નું પંચાંગ

