શહેરમાં આજે નોંધાયેલાં કોરોનાના પાંચ કેસની વિગત આપતાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, શહેરના આંબવાડી વિસ્તારમાં રહેતા અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં પપ વર્ષીય આધેડ પુરૂષ, ઉપરાંત, ૪પ વર્ષના મહિલા, ૬૭ વર્ષના પ્રૌઢ પુરૂષ તથા વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા અને અનંતવાડી વિસ્તારમાં રહેતા ર૪ વર્ષનો યુવાન કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ તમામની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા, જયાં તમામના રિપોર્ટ કરાતાં તમામ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. પરંતુ, તમામની તબિયત સારી હોવાથી હાલ તમામ વ્યકિતઓ પોતાના ઘરે સારવાર હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું. જો કે, બીજી તરફ, શહેરમાં આજે કોઈ દર્દી કોરોનામુક્ત થયા ન હતા. ઉલ્લેખનિય છે કે, શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૮ દિવસમાં કોરોનાના કુલ ૩પ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૪ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ, શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧ દર્દી કોરોનામુકત થયા છે, જયારે કોરોનાના ર૩ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ તાકિદ કરી છે.
Trending
- Rohini એ ચંદ્રશેખર પર શોષણનો આરોપ લગાવ્યો છે અને પોતાને ’પીડિત નંબર ૩’ ગણાવી છે
- Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન
- Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ
- Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે
- પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવો એ અમારા માટે મુખ્ય મુદ્દો છે, Farooq Abdullah
- અન્ય રાજ્યોથી મુંબઈ આવતા લોકોના કારણે રેલ્વે વ્યવસ્થા પડી ભાંગી છે,Raj Thackeray
- Pakistanની દમનકારી નીતિ, બલુચિસ્તાનના અવાજને દબાવવા માટે નવો કાયદો લાવવામાં આવ્યો
- Rapar પંથકમાં ભુસુ ખાધા બાદ 20 પશુના મોત: 50થી વધુ ને અસર