શહેરમાં આજે નોંધાયેલાં કોરોનાના પાંચ કેસની વિગત આપતાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, શહેરના આંબવાડી વિસ્તારમાં રહેતા અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં પપ વર્ષીય આધેડ પુરૂષ, ઉપરાંત, ૪પ વર્ષના મહિલા, ૬૭ વર્ષના પ્રૌઢ પુરૂષ તથા વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા અને અનંતવાડી વિસ્તારમાં રહેતા ર૪ વર્ષનો યુવાન કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ તમામની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા, જયાં તમામના રિપોર્ટ કરાતાં તમામ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. પરંતુ, તમામની તબિયત સારી હોવાથી હાલ તમામ વ્યકિતઓ પોતાના ઘરે સારવાર હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું. જો કે, બીજી તરફ, શહેરમાં આજે કોઈ દર્દી કોરોનામુક્ત થયા ન હતા. ઉલ્લેખનિય છે કે, શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૮ દિવસમાં કોરોનાના કુલ ૩પ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૪ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ, શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧ દર્દી કોરોનામુકત થયા છે, જયારે કોરોનાના ર૩ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ તાકિદ કરી છે.
Trending
- 07 ઓગસ્ટ નું રાશિફળ
- 07 ઓગસ્ટ નું પંચાંગ
- Jetalsar ગોદામમાં નાફેડની મગફળી ચોરીમાં ૪ ઝડપાયા
- Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન
- Surat માં નકલી મસાલાનો કારસો, એવરેસ્ટ અને મેગી સામે કોર્ટમાં કેસ
- Sumul Dairy માં શાંત થવાનું નામ લેતો નથી વિવાદઃ ચાર ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા