આ અંગેની વિગત એવી છે કે, શહેરના તરસમિયા અને તખ્તેશ્વર ફિલ્ટર પર મહિપરીએજ દ્વારા રો-વોટર આપવામાં આવે છે, જેમાં આજે રવિવાર અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ આશરે ૪૦થી ૪પ એમએલડી પાણની ઘટ આવવાની હોવાથી કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થશે નહીં અથવા અનિયમિત આપી આવશે.તેવી મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે જાહેરત કરી છે. અધિકારીના જણાવ્યાનુંસાર, મહિપરીએજમાંથી પાણીનો ઓછો જથ્થો મળતા આજે પ્રથમ દિવસે શહેરના સુભાષનગર, હાદાનગર, મિલેટ્રી સોસાયટી તેમજ આજુબાજુનો વિસ્તાર ઉપરાંત કાળિયાબીડ વિસ્તારમાં સાંજના પ થી ૮ કલાક દરમિયાન કરાતું પાણી વિતરણ થઈ શક્યુંન હતું. જો કે, અન્ય વિસ્તારોમાં પાણી થયું હતું. આવતીકાલે સોમવારે પણ જો પાણીનો જથ્થો ઓછો મળશે તો કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થઈ શકશે નહીં તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ વિગતો આપતાં ુઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાણી કાપ રાખવાનો હોય તો મહાપાલિકા દ્વારા અગાઉ જાણ કરવામાં આવે છે, જેના કારણે લોકોને ખ્યાલ રહેતો હોય છે પરંતુ આજે શહેરીજનોને જાણ કર્યા વગર અચાનક જ પાણી કાપ રાખવામાં આવતા લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.
Trending
- Manish Sisodia એ પૂર્વનિર્ધારિત કાર્યક્રમને કારણે એસીબી સમક્ષ હાજર થવામાં અસમર્થતા વ્યક્ત કરી
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા
- Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા
- Rohini એ ચંદ્રશેખર પર શોષણનો આરોપ લગાવ્યો છે અને પોતાને ’પીડિત નંબર ૩’ ગણાવી છે
- Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન
- Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ