રોજના કંકાસ કંટાળેલા શ્રમજીવી યુવાનને ઝેરી અસર સાથે દવાખાને ખસેડાયો
Rajkot,તા.09
શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન ની હદ માં કોઠારીયા ના ગુલાબ નગર શેરી નંબર ત્રણમાં રહેતા યુવાને પત્નીના આડા સંબંધની આશંકામાં ફિનાઈલ પી લેતા બેભાન હાલતમાં સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગુલાબ નગર શેરી નંબર ૩ કોઠારીયા માં રહેતા અને કારખાનામાં નોકરી કરતા એલવીસભાઈ કેશુભાઈ મકવાણા રાજપુત એ ગઈકાલે રાત્રે ૯ વાગે પોતાના ઘેર ફિનાઈલની ગોળીઓ ખાઈ લેતા અર્ધ બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ફિનાઈલ ની ગોળીઓ ખાઈ લેવાના કારણમાં એલ્વિસ ને દવાખાને લાવનાર તેની માતા મંજુબેને જણાવ્યું હતું કે એલ્વિસના લગ્ન બે વર્ષ પહેલાં બાવાપીપળીયા ગામે થયા હતા તેની પત્ની ને કોઈ યુવક સાથે આડા સંબંધ હોય, પતિ પત્ની વચ્ચે અવારનવાર આ બાબતે ઝઘડા થતા રહ્યા છે એલ્વિસના સાસરિયાઓ પણ આ સંબંધથી નારાજ છે અને તેમણે પણ વારંવાર એલ્વિસ ની પત્નીને આવું ન કરવા સમજાવ્યું હોવા છતાં કોઈ ફરક ન પડતા ગઈકાલે એલવિશે કંટાળીને ઝેરી ટીકડા ખાઈ લીધા હતા અત્યારે એલ્વિસને સારવાર અપાયુ રહી છે આ અંગે આજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે