ત્રાપજથી સથરાને જોડતો પાંચ કિ.મી.નો રસ્તો છેલ્લા ઘણાં સમયથી બિસ્માર થઈ ગયો છે. જેના કારણે સથરા તેમજ આજુબાજુના ભારાપરા, મથાવડા, તખતગઢ, પાદરી, તરસરા, ઈરોસા સહિતના ગામોના લગભગ ૪૦ હજારથી પણ વધુ લોકો તેમજ સિધ્ધનાથ મહાદેવ, ગણેશ મંદિર જેવા ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે પણ આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે. આ ગામોના લોકોને જિલ્લા મથક ભાવનગર જવા માટે સથરા-ત્રાપજનો એક માત્ર રસ્તો જોડતો હોય, ખખડધજ રોડના કારણે લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. અહીંથી કોઈ સરકારી એસ.ટી. બસ ચાલતી ન હોય, ખરાબ રસ્તાના કારણે ખાનગી વાહનધારકો પણ વધુ ભાડા વસૂલતા હોવાની રાવ ઉઠી છે. વધુમાં આ રસ્તો છેલ્લે ૨૦૧૬માં બનાવવામાં આવ્યો હતો. નવ વર્ષમાં રોડની હાલત ખખડધજ થઈ ગઈ હોય, સથરા ગામના આગેવાનોએ જિલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય વગેરેને લેખિતમાં રજૂઆત કરી નવો માર્ગ બનાવવાની માંગણી ઉચ્ચારી છે.
Trending
- Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન
- Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો
- Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી
- ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ
- Saudi Arabia ઈરાનની પડખે: ઈઝરાયેલી હુમલાને વખોડયો
- Operation Rising Lion: ઈઝરાયેલનો ઈરાન પર ભીષણ હુમલો
- મિડલ ઈસ્ટની એર સ્પેસ બંધ થતા Mumbai-Londonની એર ઈન્ડિયાની ફલાઈટ પરત લાવવી પડી
- રૂપાણી પરિવારને મળતા વડાપ્રધાન Modi: અંજલીબેનને સાંત્વના પાઠવી