Rajkot , તા. 13
રાજકોટ શહેરમાં ગઇકાલ તા.12ના રોજ કોરોનાના નવા 11 કેસ બહાર આવતા મહાનગરમાં કુલ દર્દીઓનો આંકડો દોઢ સદી નજીક પહોંચ્યો છે. આ કેસમાં એક બાળક અને એક બાળકીનો પણ સમાવેશ થાય છે.
વોર્ડ નં.3ના અમૃત પાર્કમાં રહેતી છ વર્ષની બાળકી સારંગપુરથી પરત ફર્યા બાદ તેને કોરોના નિદાન થયું છે. આ જ વોર્ડના કોઠી કમ્પાઉન્ડ વિસ્તારના 40 વર્ષના પુરૂષ અને 34 વર્ષના મહિલાને પણ ચેપ લાગ્યો છે. વોર્ડ નં.12માં સાગર બંગ્લોઝમાં રહેતા 11 વર્ષના બાળકને પણ પોઝીટીવ રીપોર્ટ છે.
વોર્ડ નં.1માં મણીનગરમાં રહેતા 36 વર્ષના સ્ત્રી, વોર્ડ નં.7માં જાગનાથમાં રહેતા 22 વર્ષના મહિલા, વોર્ડ નં.8માં સતનામ હોસ્પિટલ પાસે રહેતા 58 વર્ષના મહિલા, વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ પર રહેતા 68 વર્ષના પુરૂષ, વોર્ડ નં.10માં જલારામ-2માં રહેતા 36 વર્ષના મહિલા, વોર્ડ નં.11માં ઓમ રેસીડેન્સીમાં રહેતા 46 વર્ષના પુરૂષ, વોર્ડ નં.13ના ગોપાલનગરમાં રહેતા 39 વર્ષના પુરૂષને કોરોના સંક્રમણ થતા તેઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.
બે બાળકો અને જલારામ-2માં રહેતા મહિલાએ વેકસીનના ડોઝ લીધા નથી. અન્ય તમામ બેથી ત્રણ ડોઝ લીધા હતા. રાજકોટમાં તા.19-5થી ગઇકાલ સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો છે. તે પૈકી 86 દર્દી સાજા થઇ ગયા છે અને સારવાર હેઠળના દર્દીઓનો આંકડો 58 ઉપર પહોંચ્યાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.