New Delhi,તા.20
આગામી 1 જુલાઈથી નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ જરૂરી બન્યુ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીઝ (સીબીડીટી)એ આ માહિતી આપી છે. આ પહેલનો ઉદેશ ડીઝીટલીકરણથી ટેકસ દાખલ કરવામાં જવાબદારીને વધારવાનો છે.
હાલના પાન ધારકો પાસે 31 ડિસેમ્બર 2025 સુધી કોઈ દંડ વિના પોતાનું આધાર લિંક કરવાનો સમય છે. આમ નહીં કરવા પર તેમનું પાન પછીના વર્ષથી નિષ્ક્રીય થઈ જશે.
રિપોર્ટ અનુસાર ઈન્કમટેકસ પોર્ટલ પર જુલાઈથી પાનકાર્ડ આવેદન કરવા માટે નવા નિયમોને લાગુ કરવામાં આવશે. હાલ, કોઈપણ શખ્સ પોતાનું નામ, બર્થ સર્ટીફિકેટ કે વૈકલ્પિક ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પાન માટે આવેદન કરી શકે છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આધાર આધારિત વેરિફીકેશનનું પગલું ડિઝીટલીકરણ અભિયાન અને ટેકસ દાખલ કરવામાં જવાબદારી નિશ્ચિત કરવાના પ્રયાસો અંતર્ગત લેવામાં આવ્યું છે.
આનો અર્થ એ છે કે, જો આપ 1 જુલાઈથી 2025 બાદ નવું આવેદન કરો છો તો આપની પાસે પાનકાર્ડ હોવું અનિવાર્ય રહેશે. આપના પાનકાર્ડ આવેદનને આગળ વધારવા માટે વેરિફીકેશનના આધારે આપના આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવશે.
પાનકાર્ડને આધાર સાથે લીંક કરવાનું પણ ફરજીયાત જ છે
કેન્દ્ર સરકારના પ્રવર્તમાન નિયમ પ્રમાણે વર્તમાન પાનકાર્ડ ધારકોને પણ પોતાના કાર્ડને આધાર સાથે લીંક કરવાનું ફરજીયાત છે, પાનકાર્ડ આધાર સાથે લીંક ન હોવાના સંજોગોમાં આવતા વર્ષથી પાનકાર્ડ બંધ થઇ જશે.
આવક વેરા વિભાગે ટેસ્ટ ચોરીમાં અન્યના પાનકાર્ડનો ઉપયોગ થતો હોવાનો જાણમાં આવ્યા બાદ પાનકાર્ડ સાથે આધાર લીંકઅપ ફરજીયાત બનાવ્યું હતું. બનાવટી જીએસટી રજીસ્ટ્રેશનમાં પણ પાનકાર્ડનો ગેરઉપયોગ થતો હતો.