New Delhi,તા.20
મુંબઈ પોલીસ 10000 સીસીટીવી કેમેરાવાળા હાલની વોચ નેટવર્કને સ્માર્ટ એનાલિટિકસથી અપગ્રેડ કરાવવાની યોજના બનાવી રહી છે, આથી ડિઝાસ્ટર કે અકસ્માતોનો રિયલ ટાઈમ જાણવામાં મદદ મળશે.
વરિષ્ઠ બીએમસી અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈમાં લાગેલા સીસીટીવી કેમેરાને અપગ્રેડ કરવામાં આવશે. અમે સૂચન કર્યુ છે કે આ કેમેરાને અકસ્માત અને આપતિઓનો સંકેત ઓળખવા માટે સક્ષમ બનાવવામાં આવશે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ અનુપકુમારસિંહે આ વાતની પુષ્ટિ કરી છે.
નવા કેમેરા કેવી રીતે કામ કરશે?: એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલ બધા કેમેરાની ફીડ મુંબઈમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં દરેક સમયે મોનીટર થાય છે. પણ જો સ્માર્ટ એનાલિટિકસ લગાવવામાં આવે તો જેવી કોઈ ઘટના બને તો સંબંધીત કેમેરાની ફીડ ખુદ જ સ્ક્રીન પર આવી જશે.
હાલની ઘટનાઓનુ ઉદાહરણ આવતા અધિકારીએ બાંદ્રા મોલનો ઉલ્લેખ કર્યો હતો. આગ રાત્રે 2.30 વાગ્યે લાગી હતી અને ફાયર બ્રિગેડને 3.58 વાગ્યે કોલ કરાયો હતો.
જો કેમેરામાં સ્મોક ડિટેન કરવાની ક્ષમતા હોત તો આગને સમયસર રોકી શકાઈ હોત. આજ રીતે ગ્રાન્ટ રોડ પર થયેલી ચાકૂ મારવાની ઘટનામાં પણ જો કેમેરાએ ઓળખી હોત તો પોલીસને તરત એલર્ટ મળી ગયુ હોત.
પાણીનો ભરાવો, ટ્રાફીકજામ કે એકિસડન્ટ જેવી માહિતી મળશે
શરૂઆતમાં આ પ્રોજેકટ બીએમસીએ લાગુ કરવાનો હતો. પણ આ પ્રોજેકટ મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કેમેરાથી મળતી માહીતી પોલીસ કન્ટ્રોલરૂમ, બીએમસી ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અને રાજય આપતિ નિવારણ કક્ષને અને રાજય આપતિ મોકલવામાં આવે છે.
લાગુ થનારી સિસ્ટમનો ઉદેશ પાણી ભરવો, બિલ્ડીંગ પડવી,વૃક્ષ ધરાશાયી થવુ, ભુસ્ખલન, માર્ગ અકસ્માત, અચાનક ટ્રાફીક જામ કે અસામાન્ય ભીડ જેવી ઘટનાઓની આ કેમેરા ઓટોમેટીક ઓળખ કરે છે. અધિકારીએ જણાવ્યું હતું કે હાલ ચોમાસા દરમ્યાન અમે નીચલા વિસ્તારમાં લાગેલા કેમેરાની દેખરેખ રાખીએ છીએ.
પરંતુ અમે હજુ પણ ઘણી હદ સુધી વોર્ડ ઓફીસનો કોલ, ઈમરજન્સી કોલ કે નજરે જોનારની જાણકારી પર નિર્ભર છીએ.