New Delhi તા.21
આ વર્ષનાં એપ્રિલ અને મે મહિનામાં ખાતરોનું એકત્રિત વેચાણ 14 ટકા વધ્યુ છે, એમ અધિકૃત આંકડા દર્શાવે છે. ભારતીય હવામાન ખાતાની આગાહી છે કે આ વખતે ચોમાસામાં વરસાદ સરેરાશ કરતા અધિક પડશે તેથી ખેડૂતો અત્યારથી જ ખરીદી વધારી રહ્યા છે તેથી આગામી સમયમાં અછત સર્જાય નહીં. ગયા વર્ષે ખેડૂતોને ખાતરોની શોર્ટેજ નોંધાઈ હતી.
યુરિયા, મ્યુરેટ ઓફ પોટાશ (એમઓપી) અને કોમ્પ્લેક્સ ફર્ટિલાઈઝર્સની મે મહિનામાં રેકર્ડ 88-96 ટકાની જરૂરિયાત પડી હતી, જ્યારે ડિએમોનિયમ ફોસ્ફેટની 60 ટકા ડિમાંડ હતી. એપ્રિલ-મે સમયગાળામાં મુખ્ય ફર્ટિલાઈઝર્સ- યુરિયા, ડીએપી, એમઓપી અને કોમ્પ્લેક્સની ખરીદી 58.32 લાખ ટનની થઈ છે, જે ગત વર્ષનાં સમાન સમયગાળાં 51.29 લાખ ટન હતી.
સૂચિત સમયગાળામાં યુરિયાનું વેચાણ 12.5 ટકા વધીને 31.81 લાખ ટનથી 35.79 લાખ ટન થયુ છે. એમઓપીનું વેચાણ 39.5 ટકા વધીને 1.72 લાખ ટનથી 2.4 લાખ ટન અને કોમ્પ્લેક્સનું 37.2 ટકા વધીને 8.92 લાખ ટનથી 12.24 લાખ ટન થયુ છે. પરંતુ ડીએપીનું વેચાણ 10.7 ટકા ઘટીને 8.84 લાખ ટનથી 7.89 લાખ ટન થયુ છે.
દરમિયાન ઈઝરાયલ-ઈરાન યુદ્ધને લીધે કોચી ટી ઓક્શન માર્કેટમાં ઈરાનના ખરીદદારોની ગેરહાજરી રહી નથી. ભારતીય ચાની ખરીદીમાં ઈરાક બાદ ઈરાનનો બીજો ક્રમ આવે છે. વેપારીઓનું કહેવુ છે કે તેમના દેશમાં હાલ પરિસ્થિતિ સારી નહીં હોવાથી અને આગામી સમયમાં ડિમાંડ ઘટવાનો અંદાજ હોવાથી તેઓ ખરીદી કરી રહ્યા નથી.