Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    • ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
    • સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
    • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Vadodara માં નાથ નિકળ્યાં નગરચર્યાએ, લાખોલોકોનું ભક્તિનું ઘોડાપુર ઉમટી પડયું
    ગુજરાત

    Vadodara માં નાથ નિકળ્યાં નગરચર્યાએ, લાખોલોકોનું ભક્તિનું ઘોડાપુર ઉમટી પડયું

    Vikram RavalBy Vikram RavalJune 27, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodaraતા.૨૭

    વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યાં હતા. ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વડોદરામાં ઈસ્કોન મંદિર દ્વારા ૪૪મી રથયાત્રાનું આયોજન કરાયું હતું. રથયાત્રા રેલવે સ્ટેશનથી નીકળી હતી. ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નીકળ્યા નગરચર્યાએ જેને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરાયું હતું.

    વડોદરામાં ભગવાન જગન્નાથની ૪૪ મી રથયાત્રા નીકળી હતી. ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઇ હતી. ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા હતા. શહેરના રાજ માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. હરે રામ હરે કૃષ્ણ ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રાના રુટ પર ઠેર-ઠેર ભગવાનનું સ્વાગત કરાયું હતું.

    ભાવનગરમાં નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, ૧૦૦ ટ્રક, ૨૦ ટ્રેક્ટર સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં

    દેશમાં ત્રીજા અને ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય ગણાતી હોય છે. ભાવનગરની રથયાત્રાનું પ્રસ્થાન થઇ ચૂક્યું છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ૩ કિલોમીટર જેટલી લાંબી આ રથયાત્રા છે. ૧૪ કલાક સુધી ૧૭ કિલોમીટરના રૂટ પર ફરશે. આજે સવારે જ ભાવનગરના સુભાષનગરમાં ભગવાનેશ્વર મંદિરમાં સવારે ૬ વાગ્યે જગન્નાજી, બલરામ અને સુભદ્રાના આંખો પરથી પાટા હટાવાયા હતા.

    સ્નાન અને પૂજા અર્ચના બાદ શાસ્ત્રોક્ત વિધિથી રથ પર સ્થાપના કર્યા બાદ સંતો-મહંતો અને મહાનુભાવો દ્વારા છેડાપોરા અને પાહિંદ વિધિ કરાઇ. જે બાદ સવારે સાડા ૮ વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો. આ વર્ષે પણ પરંપરાગત રીતે ભોઇ સમાજના યુવકોએ રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું. હાલ રથયાત્રા શહેરમાં ફરી રહી છે. ભગવાન તમામ નગરજનોને દર્શન આપી રહ્યા છે. ત્યારે સમગ્ર માહોલ જય રણછોડ અને જય કનૈયાલાલ કી ના નાદથી ગૂંજી ઉઠ્યો છે.

    ભાવનગરમાં નીકળેલી ૪૦મી રથયાત્રાએ જોરદાર આકર્ષણ જમાવ્યું છે. આ રથયાત્રામાં માર્ગો પર રંગોળી રથની આગળ હાથી ૧૦૦ ટ્રક, ૫ જીપ, ૨૦ ટ્રેક્ટર, ૧૪ છકરડા, અખાડા મંડળીઓ અને વિવિધ રાસમંડળીઓ સામેલ થઇ છે. આ સિવાય ઓપરેશન સિંદૂરના વિવિધ ફ્લોટ્‌સ, ટ્રેન, ઉછળતો વાનર, વિવિધ કાર્ટૂને પણ આકર્ષણ જમાવ્યું છે. તો સત્સંગ મંડળી ભજન-કીર્તન કરી રહી છે. ડી.જે.ના તાલ સાથે ભક્તો નાચતા-ઘૂમતા આગળ વધી રહ્યા છે. આ રથયાત્રામાં કેન્દ્રીય પ્રધાન નિમુ બાંભળિયા, ધારાસભ્યો, મેયર, ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો હાજર રહ્યા.

    આ વખતે ૩ ટન ચણાની પ્રસાદીની વ્યવસ્થા કરાઇ છે. આ સાથે ભક્તો અને સામાજિક સંસ્થાઓએ પાણી અને શરબતની વ્યવસ્થા કરી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ કોઇને નડતરરૂપ નહીં થવા અને બાળકો-વડીલોનું ધ્યાન રાખવા અપીલ કરાઇ છે.

    અમદાવાદ રથયાત્રામાં દેશભક્તિનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો

    અમદાવાદની રથયાત્રા ભારતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવો પૈકી એક છે. આ વર્ષે યોજાયેલી રથયાત્રામાં એક અનોખું આકર્ષણ જોવા મળ્યું છે. આ વર્ષે રથયાત્રામાં દેશભક્તિ પર આધારિત, વનતારા પર આધારિક ટેબલો આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સરસપુરમાં યોજાયેલા આ ઉત્સવમાં અનેક ટેબલોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ ટેબલોમાં ભગવાન રામની ભવ્ય ઝાંખી, બાળકોને આકર્ષિત કરતા કાર્ટુન પાત્રો અને ભારતના ગૌરવને પ્રતિબિંબિત કરતા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા.

    ખાસ કરીને, ઓપરેશન સિંદૂરનું ટેબલો ખૂબ ચર્ચામાં રહ્યો છે. આ ટેબલોએ નારી શક્તિ દ્વારા પાર પાડવામાં આવેલા આ મહત્વપૂર્ણ ઓપરેશનને યાદ કરાવ્યું. આ ઉપરાંત પરંપરાગત રીતે ચોકલેટ વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે ખૂબ આકર્ષક રહ્યું.

    રથયાત્રા દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી. ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન કરવા આતુરતા પૂર્વક રથયાત્રામાં ભાગ લેતા જોવા મળ્યા. સ્વયંસેવકો દ્વારા શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી તમામ ભક્તો આ ઉત્સવને શાંતિપૂર્ણ રીતે માણી શકે. આમ આ વર્ષની અમદાવાદ રથયાત્રા દેશભક્તિ અને શ્રદ્ધાનું અનોખું મિશ્રણ રહી.

    કાલુપુર પાસે ભગવાન બલભદ્રજીના રથમાં સર્જાઇ ખામી, થોડી વાર સુધી અટકાવવી પડી રથયાત્રા

    અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. એવામાં રથયાત્રા દરમિયાન પહેલા ગજરાજ બેકાબૂ થયા અને હવે વધુ એક મુશ્કેલી સર્જાઈ છે. કાલુપુર પાસે બલભદ્રજીના રથમાં એક તકનિકી ખામી સર્જાઈ હતી.

    વાત એમ છે કે, રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી હતી, ત્યારે અચાનક  કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક રથમાં ખામી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, બલભદ્રજીના રથમાં એક તકનિકી ખામી સર્જાઈ હતી.

    રથના પૈડાનું બોલ્ટ ખૂલી જતાં યાત્રાને થોડીવાર માટે અટકાવવી પડી હતી. જો કે, રથ અટકાવ્યા પછી તાત્કાલિક રિપેરિંગ શરૂ કરાયું હતું. ત્યારબાદ બોલ્ટ નવો નાખવામાં આવ્યો અને રથને આગળ રવાના કરવામાં આવ્યો છે.

    આ દરમિયાન અન્ય બે રથ બલભદ્રજીના રથથી થોડે દૂર પહોંચી ગયા હતા. રથમાં ખામી સર્જાતા બલભદ્રજીનો રથ પાછળ રહી ગયો હતો. તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખી પૂરી સાવચેતી સાથે રથની કામગીરી હાથ ધરાઈ હતી.

    બલભદ્રજીનો રથ રીપેર થઈ ગયો છે અને યાત્રા ફરી શરૂ થઈ છે. યાત્રાળુઓ માટે કોઈ અનિચ્છનીય સ્થિતિ ન સર્જાય તે માટે પંથકમાં સતર્કતા રાખવામાં આવી છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ

    June 30, 2025
    અમદાવાદ

    શાસ્ત્રીનગરનું શૌચાલય બન્યું વિવાદનો મધપૂડો, કડક કાર્યવાહીના બદલે દંડ ફટકારતાં સ્થાનિકોમાં રોષ

    June 30, 2025
    મોરબી

    Morbi: ધીમી ધારે અડધો ઇંચ વરસાદ વરસ્યો, વાંકાનેર-હળવદ અને ટંકારામાં વરસાદી ઝાપટા

    June 30, 2025
    મોરબી

    Morbi: જાહેર જનતાને જાણ કર્યા વિના પોલીસનો લોક દરબાર યોજાયો

    June 30, 2025
    મોરબી

    Wankanerના કણકોટ નજીક બે આખલા પર એસીડ એટેકથી જીવદયાપ્રેમીઓમાં રોષ

    June 30, 2025
    મોરબી

    Morbi: શાળા પ્રવેશોત્સવના તાયફા, જર્જરિત શાળાઓનું રીપેરીંગ ક્યારે ? કોંગ્રેસ

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.