New Delhi,તા.4
રેલવે સ્ટેશન કે ટ્રેનમાં સફર દરમ્યાન થનારી સમસ્યાના સમાધાન માટે ભલે યાત્રી વોટસએપ ચેટના માધ્યમથી મેળવી શકશે.રેલવેએ યાત્રીઓ માટે ચેટબોટ સુવિધા ઉપલબ્ધ શરૂ કરી છે. દેશભરમાં લાગુ કરતા પહેલા ઉતર રેલવે તેની ટ્રાયલ કરી રહી છે.
રેલમાં સફર દરમ્યાન યાત્રીઓને અનેકવાર સ્ટેશન અને ટ્રેનમાં સફાઈ, શૌચાલય, વીજળી, પાણી, ટિકીટ, કર્મચારીનાં વ્યવહાર, સ્વાસ્થ્ય ખરાબ થવુ, ટ્રેન ઓપરેટીંગમાં વિલંબ વગેરે બાબતે ફરિયાદો હોય છે.
આ પ્રકારની ફરિયાદોને અધિકારીઓ સુધી પહોંચાડવા માટે હાલ મુખ્યત્વે બે પ્રકારની સુવિધા મૌજુદ છે. તેમાં વહેલી સુવિધા 139 હેલ્પલાઈન નંબરની છે. તેના પર કોલ કરીને યાત્રી તેની ફરિયાદ નોંધાવી શકે છે.
બીજી સેવા રેલ મદદ એપ છે જેમાં યાત્રી ફરિયાદ કરી શકે છે. એકસ પર પણ ફરીયાદ કરી શકે છે.આ ત્રણેય પ્રક્રિયામાં અધિકારીઓ દ્વારા તત્કાળ કાર્યવાહીનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. ઘણીવાર તેમાં ઘણો સમય લાગે છે તેને, ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે તરફથી ચેટબોટ તૈયાર કરવામાં આવ્યું છે.
મોબાઈલ નં.79821 39139 ખાતે રેલ મદદના નામે ચેટ બોટ બન્યુ છે. તેના પર કોઈપણ યાત્રી નમસ્તે, પ્રણામ, હાય, હેલ્લો લખી પોતાની વાત શરૂ કરી શકે છે. અહીં કરેલી ફરિયાદ નોંધાતા અધિકારી પાસે પહોંચી જશે.