Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 5 જુલાઈનું રાશિફળ
    • 5 જુલાઈનું પંચાંગ
    • Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4
    • Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે
    • Pakistanની સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Palitanaમાં સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો માસૂમ રાજદીપ
    સૌરાષ્ટ્ર

    Palitanaમાં સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો માસૂમ રાજદીપ

    Vikram RavalBy Vikram RavalJuly 4, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Palitana, તા.04 

    ભાવનગરમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્રણ વર્ષના માસૂમ રાજદીપ માથાસુરિયા તેની આંખની સારવાર માટે આયુષ્માન કાર્ડ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આયુષ્માન કાર્ડ જે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે વરદાનરૂપ છે, તે અધિકારીઓની બેદરકારી અને ગૂંચવણભર્યા નિયમોના કારણે રાજદીપ માટે અભિશાપ સમાન બની ગયું છે. પાલિતાણા તાલુકાના ખીજડિયા ગામનો રાજદીપ બે વર્ષ પહેલાં રમતા રમતા આંખમાં છરી વાગવાને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવી બેઠો છે.

    રાજદીપના પિતા કરણભાઈ માથાસુરિયાએ જણાવ્યું કે, બે વર્ષ પહેલાં તેમની બહેનના લગ્ન હોવાથી તેઓ બહારગામ હતા ત્યારે એક વર્ષના રાજદીપની આંખમાં છરી વાગી ગઈ. તાત્કાલિક તેને પાલીતાણા અને બાદમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે, ત્યાં ઓપરેશનમાં જોખમ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યાં તેનું ઓપરેશન થયું. પરંતુ, દોઢ મહિના બાદ તેની આંખમાં સફેદ ડાઘ દેખાવા લાગ્યા, જેના કારણે ડોક્ટરે મોતિયાનું ઓપરેશન કરાવવાનું સૂચવ્યું. આ ઓપરેશનમાં અંદાજે રૂ. 2 થી રૂ. 2.5 લાખનો ખર્ચ થયો હોવા છતાં આંખની સ્થિતિમાં સુધારો થયો નહીં.

    હવે રાજદીપની વધુ સારવાર માટે કરણભાઈ પાસે પૈસા નથી અને તેઓ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર મેળવવા માંગે છે. જોકે, આયુષ્માન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત છે. જ્યારે કરણભાઈ રાજદીપનું આધાર કાર્ડ બનાવવા ગયા, ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે આઇરિશ સ્કેન વિના આધાર કાર્ડ નહીં બની શકે. રાજદીપની આંખ જ ડેમેજ હોવાથી આઇરિશ સ્કેન શક્ય નથી અને તેના કારણે આધાર કાર્ડ બનતું નથી, જેના પરિણામે આયુષ્માન કાર્ડ પણ અટકી પડ્યું છે અને રાજદીપની સારવાર અટકી ગઈ છે.

    આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, આધાર કાર્ડ માટે આઇરિશ સ્કેન હંમેશા ફરજિયાત નથી. જો આંખમાં કોઈ ખામી હોય અને ડોક્ટર લેખિતમાં આ વિશે પ્રમાણપત્ર આપે, તો આઇરિશ સ્કેન વિના ફક્ત બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ)ની મદદથી પણ આધાર કાર્ડ નીકળી શકે છે. તેમ છતાં, આધાર સેન્ટર પર કામ કરતા લોકોની આળસ અને ઈચ્છાશક્તિના અભાવે રાજદીપની આગળની સારવાર શક્ય બની રહી નથી.

    • UIDAI (ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ) દ્વારા આધાર કાર્ડ માટેના નિયમો સ્પષ્ટ છે:
    • વિઝ્યુઅલ ઈમ્પેયર્ડ સર્ટિફિકેટ: જો સરકારી હોસ્પિટલે આપેલું વિઝ્યુઅલ ઈમ્પેયર્ડ સર્ટિફિકેટ અથવા આધાર યોગ્યતા ધરાવતું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે, તો આઇરિશ સ્કેન ફરજિયાત રહેતું નથી.
    • “એક્સેપ્શન હેન્ડલિંગ”: જો આઇરિશ સ્કેન અને ફોટો લેવાનું શક્ય ન હોય, તો “Exception Handling” તરીકે નોંધણી થાય છે.
    • ઓપરેટરની નોંધણી: આધાર ઓપરેટર “Iris Not Captured” અને “Photograph Not Captured” તરીકે ટિક કરી શકે છે અને નોંધણી કરી શકે છે.
    • ફિંગરપ્રિન્ટ પણ અસમર્થ હોય તો: જો ફિંગરપ્રિન્ટ પણ લેવામાં અસમર્થતા હોય, તો તે પણ એક્સેપ્શન તરીકે નોંધવામાં આવે છે.
    • અસામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા: અસામાન્ય પરિસ્થિતિમાં, આધાર ઓપરેટર ઓનલાઈન નોંધણી સાથે સર્ટિફિકેટ અપલોડ કરે છે અને સુપરવાઈઝર દ્વારા મંજૂરી લેવામાં આવે છે.
    • માન્ય દસ્તાવેજો: ઓળખ માટે આધાર માન્ય દસ્તાવેજો જેમ કે પાન કાર્ડ, રેશન કાર્ડ વગેરે આપવા પડે છે.

    આ પ્રક્રિયા UIDAI દ્વારા માન્ય છે અને દૃષ્ટિઅંધ નાગરિકોના અધિકાર તરીકે સ્વીકૃત છે. જો કોઈ આધાર સેન્ટર આ નિયમોને સ્વીકારતું ન હોય અને આધાર કાર્ડ કાઢી આપવામાં સહકાર ન આપે, તો UIDAI હેલ્પલાઇન 1947 પર ફરિયાદ કરી શકાય છે.

    Ayushman card Palitana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli ના ધારી ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રોડ પર કારને આંતરી 3 વ્યક્તિ પર ધોકા-ધારિયા વડે હુમલો

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath જિલ્લામાં ગત વર્ષ કરતા જુન મહિના સુધીમાં 60 ટકા વધુ વરસાદ પડ્યો

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    2 દરિયાછોરૂ શિપ કેપ્ટન અને નેવી ઓફિસર તરીકે આરૂઢ

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025

    ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫

    July 4, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.