ગુજરત વેરહાઉસ કોર્પોરેશનને ફાયર કામગીરીના બીલ મોકલવામાં આવ્યા
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૮
ગત તા. ૦૪ જુલાઈના રોજ મોરબીના રફાળેશ્વર નજીક આવેલ નાફેડ દ્વારા સંગ્રહ કરાયેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી ૧.૫૯ લાખ ગુણીઓનો જથ્થો ગુજરાત વેર હાઉસ કોર્પોરેશન ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો જ્યાં આગ લાગતા ૪૪ કરોડથી વધુનો મગફળીનો જથ્થો બળીને ખાખ થયો હતો. મોરબી,વાંકાનેર રાજકોટ અને જામનગરની ૧૧ ટીમોએ નવ દિવસ સુધી સતત કામગીરી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો હવે ફાયર ટીમોએ ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનને બીલ મોકલવાનું શરુ કર્યું છે
પ્રાપ્ત માહિતી મુજબ મગફળી ગોડાઉન આગમાં મોરબી,રાજકોટ, વાંકાનેર અને જામનગર ફાયર ટીમોએ નવ દિવસ સુધી કામગીરી કરી હતી કુલ ૧૧ ટીમો દ્વારા કામગીરી કરી પાણીનો મારો ચલાવી, તેમજ ફોમ સહિતનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવાયો હતો ફાયરની ૧૧ ટીમોએ કુલ ૧ કરોડ ૭૦ લાખ લીટર પાણીનો વપરાશ કરી કાબુ મેળવ્યો હતો હવે બીલ મોકલવામાં આવી રહ્યા છે જેમાં મોરબી ફાયર ટીમે ૪,૬૨,૭૫૦ વાંકાનેર ફાયર ટીમે રૂ ૩૧,૪૫૦ અને રાજકોટ ફાયર ટીમે ૧,૮૮,૮૨૧ એમ કુલ ૬,૮૩,૦૨૧ ના બીલ મોકલવામાં આવ્યા છે તેમજ જામનગર ફાયર ટીમ પણ બીલ મોકલશે તેવી માહિતી મળી રહી છે
તે ઉપરાંત આગની ઘટનાનું સત્ય બહાર લાવવા પોલીસ ટીમોએ પણ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે મોરબી તાલુકા પોલીસે સીસીટીવી સહિતની તપાસ આરંભી દીધી છે તો ટીમે સ્થળ પરથી ૫૦ જેટલા સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી દીધા છે અને રીપોર્ટ આવ્યા બાદ આગ લાગવાનું સાચું કારણ બહાર આવશે

