Jamnagar તા ૨૩
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા રસીલાબેન ગોરધનભાઈ રાણપરીયા નામના 60 વર્ષના બુઝુર્ગ મહિલા ગઈકાલે પોતાના રહેણાક મકાનના ફળિયામાં કપડાં સુકવવાની દોરી ઉપર કપડાં સૂકવી રહ્યા હતા,જે દરમિયાન તેઓનો અકસ્માતે વીજ વાયરમાં હાથ અડી જતાં ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના કુટુંબી વલ્લભભાઈ ગોરધનભાઈ રાણપરીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના એ.એસ.આઇ.સી. જી.આઈ. જેઠવા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.