Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી

    August 6, 2025

    Kotdasangani ની હડમતાળા જી.આઇ.ડી.સી.માં જૂની દિવાલ પડતા શ્રમિકનું મોત

    August 6, 2025

    Gondal સ્થાનકવાસી જૈન સંઘની કમિટીના ચાર સદસ્યોના રાજીનામા

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી
    • Kotdasangani ની હડમતાળા જી.આઇ.ડી.સી.માં જૂની દિવાલ પડતા શ્રમિકનું મોત
    • Gondal સ્થાનકવાસી જૈન સંઘની કમિટીના ચાર સદસ્યોના રાજીનામા
    • Junagadh માખીયાળાની સીમમાં રિવર્સમાં આવતા ટ્રક અડફેટે યુવાનનું મોત
    • Junagadh પીજીવીસીએલના નાયબ ઈજનેરને ફોન ઉપર મારી નાખવાની ધમકી
    • Junagadh ની ઘોડાસરા મહિલા કોલેજમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
    • 70 કરોડને પાર UPI ટ્રાન્જેકશન : મફત સેવા પર ઉઠ્યા સવાલો
    • PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Mansukh Vasava નો લેટર-બોંબ : ભાજપના જ એક પછી એક નેતાઓ મેદાને
    અમદાવાદ

    Mansukh Vasava નો લેટર-બોંબ : ભાજપના જ એક પછી એક નેતાઓ મેદાને

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.4
    ચોમાસાના વરસાદમાં રાજયભરમાં ભાંગેલા રસ્તા, ગંભીરાબ્રિજ દુર્ઘટના, સિંહોના અપમૃત્યુ તથા ગંદાપાણી-ગટર જેવા પાયાના પ્રશ્નો જેવા મુદ્દાઓ પર ભાજપના જ એક પછી એક નેતાઓ મેદાને આવતા રહ્યા હોય તેમ હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના જર્જરીત પુલ વિશે મુખ્યમત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવીને સવાલ ઉઠાવ્યા છે.

    ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાની જ સરકાર સામે બાયો ચડાવી છે અને ગુજરાતમાં ખખડધજ રસ્તાઓ અને જર્જરિત બ્રિજની પોલ ખોલી છે.

    તેમણે રાજ્ય સરકારને પત્ર લખીને માંગ કરી છે કે, ’ભરૂચથી આમોદ જંબુસર નજીક એન.એચ 64 પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ જર્જરિત છે. જેથી આ બ્રિજનું સમારકામ અને અન્ય બ્રિજ બંધ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે.’

    ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજકીય કે સામાજિક મુદ્દે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રીને પત્ર લખવાના તેમના વલણને લઈને અનેક વખત ચર્ચામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે ખખડધજ રસ્તા અને જર્જરિત બ્રિજ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

    સોશિલય મીડિયા પ્લેટફોર્મ X’ પર મનસુખ વસાવાએ લખ્યું ’મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચથી આમોદ જંબુસર નજીક એન.એચ 64 પર બનેલ ઢાઢર બ્રિજ તથા અન્ય નાના બ્રિજ જર્જરિત છે.

    આ ઉપરાંત એન.એચ. 753 (બી) નેત્રંગથી દેડિયાપાડા, સાગબારા મહારાષ્ટ્ર સરહદની વચ્ચે મોટી નદી ઉપર બ્રિજ પણ જર્જરિત હોવાથી મોટા વાહનો માટે બંધ કરાયો છે.

    જેના લીધે ઉદ્યોગ જગત તથા સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી આ માર્ગો પર રાબેતા મુજબ વાહન વ્યવહાર ચલાવવા રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને જર્જરિત બ્રિજના સમારકામની જરૂર છે.’

    અગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. હાર્દિકે પત્રમાં લખ્યું કે, ’વિરમગામના લોકોને મારી પાસે અપેક્ષા હતી કે, શહેરમાં ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી નિરાકરણ આવે, પરંતુ કોઈક કારણસર આ ઉકેલ આવ્યો નથી. વિરમગામના શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, પાણીમાં ખરાબ પાણી મિક્સ આવવું અને સ્વચ્છતાને લઈને સ્થાનિકો અનેક ફરિયાદો કરે છે.’

    ઉપવાસ આંદોલન ચીમકી ઉચ્ચારતા હાર્દિકે પત્રમાં લખ્યું,કે, ’વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીનો અભાવ છે, હું માનું છું. પરંતુ પ્રજાની સમસ્યાનો પાલિકાએ નિકાલ કરવો જોઈએ, પણ એ થઈ રહ્યું નથી. દબાણવાળી જગ્યાએથી દબાણ દૂર કર્યા બાદ, ટેન્ડર મંજૂર થયા છતાં પણ વિકાસના કામો થઈ રહ્યા નથી. મારે લોકો સાથે ઊભું રહેવું પડશે. સમગ્ર મામલે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી તો પણ કરીશું.’

    આ પછી અમરેલી પંથકમાં સિંહોના ભેદી મોત મામલે ધારીના ભાજપના જ ધારાસભ્ય જે.વી.કાકડીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી તપાસ માંગી હતી અને વનવિભાગની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવ્યા હતા. આમ એક પછી એક નેતાઓ મેદાને આવતા રાજકીય ગરમાવો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    70 કરોડને પાર UPI ટ્રાન્જેકશન : મફત સેવા પર ઉઠ્યા સવાલો

    August 6, 2025
    રાષ્ટ્રીય

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025
    મુખ્ય સમાચાર

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી

    August 6, 2025
    ગુજરાત

    ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ

    August 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી

    August 6, 2025

    Kotdasangani ની હડમતાળા જી.આઇ.ડી.સી.માં જૂની દિવાલ પડતા શ્રમિકનું મોત

    August 6, 2025

    Gondal સ્થાનકવાસી જૈન સંઘની કમિટીના ચાર સદસ્યોના રાજીનામા

    August 6, 2025

    Junagadh માખીયાળાની સીમમાં રિવર્સમાં આવતા ટ્રક અડફેટે યુવાનનું મોત

    August 6, 2025

    Junagadh પીજીવીસીએલના નાયબ ઈજનેરને ફોન ઉપર મારી નાખવાની ધમકી

    August 6, 2025

    Junagadh ની ઘોડાસરા મહિલા કોલેજમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી

    August 6, 2025

    Kotdasangani ની હડમતાળા જી.આઇ.ડી.સી.માં જૂની દિવાલ પડતા શ્રમિકનું મોત

    August 6, 2025

    Gondal સ્થાનકવાસી જૈન સંઘની કમિટીના ચાર સદસ્યોના રાજીનામા

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.