Jamnagarતા. ૨૩
દાહોદ પંથકમાં થી યુવતી નું અપહરણ કરી નાસી છૂટેલો આરોપી જામનગર પંથક માં આવ્યો હોવા ની બાતમી ના આધારે એસઓજી પોલીસે સપડા ગામ ની એક વાડી માંથી ઝડપી લીધો હતો. અને તેની સાથે ભોગ બનનાર નો પણ કબજો મેળવ્યો હતો.
જામનગર એસઓજી પોલીસ ને બાતમી મળી હતી કે, દાહોદ ના સુખસર પોલીસ સ્ટેશન માં નોંધાયેલા અપહરણ ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અશ્વીન નવીનભાઈ ગરાસીયા (રહે. બાબરોલ, તા. સંતરામપુર, જિ. મહિસાગર) હાલ સપડા, જામનગર ગામ માં એક વાડી માં ખેતમજૂરી કામ કરે છે તેવી બાતમીના આધારે એસઓજી પોલીસ સ્ટાફે દરોડો પાડી આરોપી ને ઝડપી લીધો હતો. આ ઉપરાંત ભોગ બનનાર નો પણ પોલીસે કબજો મેળવ્યો હતો. જામનગર પોલીસ દ્વારા આરોપી બાબત ની જાણ દાહોદ પોલીસને કરવામાં આવી છે.