New Delhi, તા, 2
અફઘાનિસ્તાન સામે આ જ મહિને રમાનારી ત્રણ T20 ઇન્ટરનેશનલ મેચોની સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં ઇજાગ્રસ્ત ચાલી રહેલાં પેસર જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યાં છે પરંતુ તેમનું રમવું ફિટનેસ ટેસ્ટ પાસ કરવા પર નિર્ભર છે.
બુમરાહ સિવાય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને પેસ બોલર હર્ષિત રાણાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે અને આ ત્રણેય સાથે પણ આ જ શરત છે કે જો તેમને ફિટનેસ ક્લિયરન્સ મળે છે, ત્યારે જ તેઓ રમી શકશે. સિલેક્ટર્સે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાપાનમાં યોજાનારા એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ટીમના ખેલાડીઓને જ આ ટીમમાં સ્થાન આપ્યું છે.
ઘૂંટણની ઇજાથી પરેશાની
ઇંગ્લેન્ડ સામે ભારતની વનડે સિરીઝ દરમિયાન ઘૂંટણમાં ઇજા પહોંચ્યાં બાદ ટીમમાંથી બહાર થયેલાં બુમરાહની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. ઇજાના કારણે તેઓ શ્રીલંકા સામે ભારતની બે ટેસ્ટ મેચની સિરીઝમાં પણ રમી શક્યા ન હતા.
શ્રીલંકા પ્રવાસ માટે ટીમની પસંદગી સમયે ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમે 32 વર્ષીય બુમરાહને આરામ કરવાની સલાહ આપી હતી. બુમરાહના ઘૂંટણમાં ઇજા થઈ હતી અને તેમણે તે જ ઇજા સાથે IPLમાં રમવાનું ચાલું રાખ્યું હતું જેમાં તેઓ મોટાભાગનાં સમયે પોતાની પૂરી લયમાં જોવા મળ્યાં ન હતાં.
રાણા, રેડ્ડી અને સુંદર પણ સામેલ
રાણાને ઇંગ્લેન્ડ સામે ભારતની પાંચ મેચની T20I સિરીઝના ત્રીજા મુકાબલા દરમિયાન ડાબા પગના સ્નાયુઓમાં ઇજા થઈ હતી. આ પછી તેઓ સ્પિનર વરૂણ ચક્રવર્તીની સાથે ટીમમાંથી બહાર થઈ ગયા હતા.
બાદમાં રાણાને ગ્રેડ-એક ઇજાની પુષ્ટિ થઈ અને તેઓ બેંગલુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચ્યાં. 24 વર્ષીય રાણા પાછલા T20 વર્લ્ડ કપથી પણ બહાર થઈ ગયા હતા. ચક્રવર્તીના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા વોશિંગ્ટન સુંદરને બાદમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી ODI દરમિયાન પગના સ્નાયુઓમાં ઇજા પહોંચી હતી. તેઓ પણ ઇજામાંથી ઉભરવા માટે બેંગલુમાં છે. ઓલરાઉન્ડર રેડ્ડી જૂનના અંતમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના ભારત પ્રવાસથી બહાર થઈ ગયા હતા.
ભારતમાં ‘મેજબાન’ હશે અફઘાનિસ્તાન
આ સિરીઝ ભલે ભારતમાં રમાઈ રહી હોય, પરંતુ આ અફઘાનિસ્તાનની હોમ સિરીઝ છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ પોતાની હોમ સિરીઝ ભારતમાં આયોજિત કરતી હોય છે. અફઘાનિસ્તાનમાં સુરક્ષા ચિંતાઓ, રાજકીય અસ્થિરતા અને ઇન્ટરનેશનલ લેવલની રમત સુવિધાઓની અછતના કારણે આવું થાય છે.
ઇજાનો લાંબો સિલસિલો ચાલું
જસપ્રીત બુમરાહ 47 દિવસથી, નીતિશ કુમાર રેડ્ડી 73 દિવસથી, વોશિંગ્ટન સુંદર 38 જ્યારે હર્ષિત રાણા 37 દિવસથી ઇજાના કારણે મેદાન પર ઉતર્યા નથી. આ બધું તેમની હાલની ઇજા પછીની વાત છે.
જો પાછલા 12 મહિનાના આંકડા જોઈએ તો આ તમામ પહેલાં પણ ઇજાના કારણે બહાર થતાં રહ્યાં છે. સેન્ટર ઓફ એક્સેલન્સમાં એક્સપર્ટ્સની દેખરેખ હોવા છતાં ઇજાનો સતત ચાલતો આ સિલસિલો ચિંતાજનક છે. આનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે આ તમામ પ્લેયર્સને પૂર્ણ રીતે ફિટ ન હોવા છતાં ટીમમાં સ્થાન આપવામાં આવે છે.
ભારતીય T20I ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઇશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, નીતિશ રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.
સિરીઝનું શેડ્યૂલ
પહેલી T20I : 13 સપ્ટેમ્બર રવિવાર
બીજી T20I : 15 સપ્ટેમ્બર મંગળવાર
ત્રીજી T20I : 17 સપ્ટેમ્બર ગુરૂવાર
ત્રણેય મેચ દિલ્હીનાં અણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7ઃ30 વાગ્યાથી રમાશે.

