Mumbai,તા.17
મોહનલાલે ‘દ્રશ્યમ થ્રી’નું શૂટિંગ કરી દીધું છે. અનેક ભાષામાં બની રહેલી મૂળ મલયાલમ ફિલ્મના ત્રીજા ભાગમાં ફિલ્મમાં વાર્તામાં બહુ મોટાપાયે ફેરફારો થશે. ખુદ ફિલ્મ સર્જક જીતુ જોસેફે આ અંગે હિંટ આપી હતી.
તેણે કહ્યું હતું કે મુખ્ય પાત્ર જ્યોર્જ કુટ્ટીનાં બાળકો પહેલા ભાગમાં બહુ નાનાં હતાં. બીજા ભાગમાં તેઓ થોડા મોટાં દેખાડાયાં હતાં. હવે ત્રીજા ભાગમાં તેઓ વધુ મોટાં દેખાડાશે.
દેખીતી રીતે જ જ્યોર્જ તથા તેની પત્નીનાં પાત્રની લાક્ષણિકતાઓ યથાવત રહેશે પરંતુ બાળકો સમય જતાં અનેક રીતે બદલાતાં હોય છે. તેમાં પણ બચપણમાંથી તરુણાવસ્થામાં અને તરુણાવસ્થામાંથી યુવાનીમાં ડગ માંડતાં સંતાનોમાં અનેક ફેરફારો થતા હોય છે. આ ફેરફારો અને તેની વાર્તા પર અસર હવે ત્રીજા ભાગમાં વર્તાશે.

