Rajkot,તા.17
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા સુધીની ખેડૂત જન આક્રોશ યાત્રા બાદ આગામી તા.21મી નવેમ્બરથી ઉત્તર ગુજરાતના માથી બેચરાજી સુધીની જન આક્રોશ યાત્રાનું આયોજન કરાયુ છે. 3જી ડીસેમ્બરે બેચરાજી ખાતે પૂર્ણાહૂતિ કરાશે.
તા. 21 નવેમ્બરથી કોંગ્રેસ રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે, ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત થશે. ઢીમા, ધરણીધર થી થરાદ, લાખણી, ધાનેરા, ડીસા, દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, વડગામ, અંબાજી, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, રાજેન્દ્રચોકડી, શામળાજી, મેઘરજ, સાઠંબા, માલપુર, બાયડ, ધનસુરા, દહેગામ, ચિલોડા, ગાંધીનગર, માણસા, વિજાપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ, સિધ્ધપુર, સરસ્વતી, પાટણ, હારીજ, રાધનપુર, શંખેશ્વર, બેચરાજી ખાતે પુર્ણાહૂતિ થશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતમાં ભાજપના છેલ્લા ત્રણ દાયકાના શાસન સામે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની જાહેરાત કરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા એ, “ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહેલું ભાજપનું શાસન એ નીતિ અને રીતિ મુજબ પ્રજાને ગુલામ બનાવવા અને શોષણ કરવા સમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે આજે ગુજરાતમાં ’ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર’નું નિર્માણ થયું છે, જ્યાં સરકારને બદલે અધિકારી રાજ પ્રવર્તે છે અને પ્રજાના સંવૈધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે.
કોંગ્રેસ પ્રમુખે રાજ્યના બજેટ અને કરોડો રૂપિયાના ટેક્સના પૈસાનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો કે આ પૈસાનો ઉપયોગ પ્રજા માટે થવાને બદલે માત્ર ઉત્સવો, તાયફાઓ અને ભ્રષ્ટાચાર પાછળ વેડફાય છે. તેમણે ખેડૂત વિરોધી નીતિ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે ગુજરાતનો ખેડૂત રૂ।6,000ના દેવામાં ડૂબેલો છે અને વારંવારની આત્મહત્યાઓ છતાં સરકારનું પેટનું પાણી પણ હાલતું નથી, ખેડૂતોને રૂ।0,000ની નુકસાની સામે માત્ર રૂ।,500નું વળતર આપીને રાહત પેકેજના નામે મશ્કરી કરવામાં આવી છે.
શિક્ષણ અને કાયદો-વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે શિક્ષણનું વ્યાપારીકરણ થતા ગરીબ પરિવારો માટે ભણતર મુશ્કેલ બન્યું છે, જ્યારે દારૂ, ડ્રગ્સ અને ગુંડાગીરીના કારણે કાયદો-વ્યવસ્થા કથળી ગઈ છે અને પોલીસ પણ જાણે હપ્તાખોરોની ગુલામ બની ગઈ છે.
આ તમામ પ્રશ્નોને ઉજાગર કરવા માટે ‘જન આક્રોશ યાત્રા’ની શરૂઆત 21મી નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના વાવ (ધરણીધર ભગવાન મંદિર, ભીમા)થી થશે અને 3જી ડિસેમ્બરે બેચરાજી (બહુચર માતા મંદિર) ખાતે સમાપ્ત થશે. આ પ્રથમ તબક્કાની 60 દિવસની યાત્રા દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ કરવામાં આવશે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના આંકડા રજૂ કરતા જણાવ્યું કે મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રને પડતા મૂકવાનું પગલું માત્ર ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ છે,
સ્ટાફ નર્સની ભરતી સામે 3,150 અરજીઓ આવે તે ગુજરાતની ગંભીર સ્થિતિ દર્શાવે છે.કોંગ્રેસે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર 50% આદિવાસીઓને જંગલની જમીન મળી છે અને આદિવાસીઓના પ્રશ્નો પર ભાર મુક્તા સ્પષ્ટ કર્યું હતું કે આદિવાસીઓના પ્રશ્ર્નો હજી હલ થયા નથી અને આ લડત ચાલુ જ રહેશે.
હાલમાં જ જે સરકારે ગીર ફાઉન્ડેશન નામની સંસ્થાને જે સેટેલાઇટ સર્વે કરવાનું જે કામગીરી સોંપી છે, એ ગીર ફાઉન્ડેશન દ્વારા બિન અધિકૃત રીતે જંગલના દાવાઓ ના મંજૂર કરવામાં આવે છે. ગુજરાતની વસ્તી આપણે 6 કરોડની ગણીએ તો એમાંથી 3 કરોડ 65 લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે. આ ગુજરાતની વાસ્તવિકતા છે. આ લડાઈને પરિણામલક્ષી બનાવીને 2027માં ગુજરાતમાં પરિવર્તન લાવીને જ રહેશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં પ્રદેશ અગ્રણી ડો.હિમાંશુભાઈ પટેલ, ચેતનભાઈ રાવલ, મીડીયા કો-ઓડીનેટર અને પ્રવક્તા હેમાંગભાઈ રાવલ, પ્રવક્તા ડો. હિરેન બેંકર, ડો.પાર્થિવરાજસિંહ કઠવાડીયા, સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેન ભુમન ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

