New Delhi, તા.18
દિલ્હીમાં તા.10 નવે.ના થયેલા બોમ્બ ધડાકાના પુરા ષડયંત્રના કેન્દ્રમાં હરિયાણાના ફરિદાબાદથી અલ-ફલાહ યુનિ.જ હતી તે નિશ્ચિત થઈ રહ્યું છે તે એનઆઈએની ટુકડીઓએ દિલ્હીમાં પોખલા સ્થિત યુનિ. અને ફરિદાબાદ કેમ્પસ સુધી 35 સ્થળો પર દરોડા પાડયા છે.
હવે વિદેશથી આ યુનિ.માં મળતા ભંડોળ વિ. તપાસ માટે ઈ.ડી.એ પણ આજે દરોડા શરૂ કર્યો છે તથા છેક કાશ્મીરથી દિલ્હી સુધી ધરપકડમાં વધુ સાત લોકોની અટકાયત કરાઈ છે.
આ પ્રકારના નેટવર્કમાં યુવા તબીબો જે આ યુનિ.માં અભ્યાસ કરતા હતા તેમને હની ટ્રેપમાં ફસાવવા છેક કાશ્મીરથી પણ યુવતીઓને બોલાવાઈ હોવાનું તથા સમગ્ર નેટવર્ક `મીશન-કાફીર’ તરીકે ગોઠવાયુ હતું તેમાં મુસ્લીમ યુવતીઓના બ્રેઈન વોશ કરી તેઓને આત્મઘાતી બોમ્બર બનાવવાની પણ તૈયારી હતી.
ડો. શાહીને રાખવામાં આવી હતી. ડો. શાહીનને કોડવર્ડમાં મેડમ-ઝેડ તરીકે ઓળખવામાં આવતી હતી. આમ દિલ્હી બ્લાસ્ટસ એ એક મોટા ષડયંત્રના એક ભાગ જ હતો અને આ નેટવર્કમાં ગુજરાત છે જે ત્રણ ત્રાસવાદીઓ ઝડપાયા હતા. તેઓ પણ સામેલ હોવાનું માનવામાં આવે છે.
એનઆઈએ દ્વારા આ તપાસ ડીજીટલ સાધનો પર કેન્દ્રીત થઈ છે. વિવિધ વોટસએપ ગ્રુપની પણ ચકાસણી થઈ રહી છે અને તેમાં હરિયાણા-ઉતરપ્રદેશ-દિલ્હી સહિતના ક્ષેત્રોમાંથી 500 જેટલા યુવાનોને જેહાદી બનાવવાની તૈયારી હતી.
આ તપાસમાં ડો.મુજમ્મિલ હજુ ગ્રુપ છે તે સીરિયા કે ગલ્ફ ચાલ્યો ગયો હતો તેમ મનાય રહ્યું છે. ડો.શાહીન ત્રણ વખત પાક ગઈ હતી. તેની મુલાકાતોને કોણે સ્પોન્સર કરી તે પણ ચકાસાઈ રહ્યું છે.
આત્મઘાતી હુમલાખોર ઉમરનો જે વિડીયો બહંર આવ્યો છે તેથી તે કહી રહ્યો છે કે આત્મઘાતી હુમલામાં મોટો મુદો એ છે કે જયારે કોઈ વ્યક્તિ સ્વીકારી લે છે કે તે કોઈ નિશ્ચિત સમયે અને સ્થાન પર પરવા લઈ રહ્યા છે તો એક ખતરનાક માનસિકતામાં તે ચાલ્યો જાય છે.
તે ખુદને એવી સ્થિતિમાં મુકે છે જયાં તે સ્વીકારી લઈ મોત જ તેની એકમાત્ર મંજીલ છે પણ એ હકીકત છે કે કોઈ લોકતાંત્રીક અને માનવીય વ્યવસ્થામાં આવો વિવાદ કે સ્થિતિને સ્વીકારી શકાય નહી. કારણ કે જીવન-સમાજ અને કાનુન ત્રણેયના વિધાનોની વિરુદ્ધ છે.

