આ ફિલ્મનો સ્ક્રિનપ્લે નિધિ શર્માએ લખ્યો છે, આર.એસ. પ્રસન્નાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે
Mumbai, તા.૧૮
આમિર ખાનની ફિલ્મ પર સેન્સર બોર્ડે પ્રશ્ન ઉઠાવીને બે સુધારા સુચવ્યા હતા અને તેની સાથે આમિર ખાન સહમત નહોતો. તેથી ફિલ્મ સમયસર રિલીઝ થશે કે નહીં તે અંગે શંકાઓ હતી. પરંતુ હવે આમિરની આ ફિલ્મને સેન્સર બોર્ડની મંજુરી મળી ગઈ છે.જોકે, ફિલ્મની ટીમ અને સેન્સર બોર્ડના સભ્યો કઈ રીતે કઈ વાત પર સભ્ય થયા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મની ટીમ દ્વારા ફિલ્મ રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. આમિર અને જેનિલિયા ડિસોઝા ઉપરાંત આ ફિલ્મમાં આરુષ દત્તા, ગોપી ક્રિશ્ના વર્મા, સમવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભંસાલી, આશિષ પેંડસે, રિષિ શહનાની, રિષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર સહીતના દસ નવા કલાકારો પણ છે. આમિર ખાન પ્રોડક્શન્સન ફિલ્મ ‘સિતારેં ઝમીન પર’માં આમિર ખાન અને જેનિલિયા દેશમુખ લીડ રોલમાં છે. ફિલ્મના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે અને સંગીત આ વખતે પણ શંકર અહેસાન લોય દ્વારા આપવામાં આવ્યું છે. આ ફિલ્મનો સ્ક્રિનપ્લે નિધિ શર્માએ લખ્યો છે. આર.એસ. પ્રસન્નાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જે ૨૦ જૂને રિલીઝ થશે.