Morbi,તા.04
ગુજરત ટેકનોલોજીકલ યુનીવર્સીટી દ્વારા લેવામાં આવેલ ડીપ્લોમાં સેમેસ્ટર 2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષાના પ્રશ્નપત્ર માં થયેલ છબરડા મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીટીયુના કુલપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું છે
ABVP દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તા. ૨૯-૦૫ ના રોજ ડીપ્લોમાં સેમેસ્ટર 2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયના પ્રશ્નપત્રમાં ૩૦ માર્કસના ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો સુધારો યુનીવર્સીટી દ્વારા ૧૨ : ૨૬ કલાકે મેઈલ દ્વારા આપવામાં આવે છે જે વર્ગખંડ સુધી પહોંચતા ૧૨.૪૫ થઇ હતી જયારે બીજો મેઈલ ૧૨ : ૩૧ કલાકના સમય દરમિયાન વિદ્યાર્થીઓને વધુ 1 કલાક અને ૨૦ મિનીટ આપવાનો હતો પરંતુ વર્ગખંડમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પેપર આપીને જતા રહ્યા હતા ત્રીજો મેઈલ ૧૨ : ૫૬ કલાકે સુધારામાં પણ સુધારાનો હતો જે ખુબ ગંભીર વિષય છે યુનીવર્સીટીની ગંભીર બેદરકારીને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ચાલ્યા ગયા છે
જેથી એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે જીટીયુ દ્વારા એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયમાં મહત્તમ ગ્રેસીંગ આપવામાં આવે અને જે વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા આપવી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે પરીક્ષાના પ્રશ્નપત્ર માટે મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની જણાવ્યું છે