Prayagraj,તા.21
રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પીટલમાં મહિલાઓનાં મેડીકલ ચેકઅપના વીડીયો વાઈરલ થયાના સનસનીખેજ પ્રકરણ બાદ હિન્દુઓના પવિત્ર મહાકુંભમાં મહિલાઓના સ્નાન કરતાં વીડીયો વાયરલ થયાના ખુલાસાને પગલે સરકાર એકશનમાં આવી છે.
ઉતરપ્રદેશ સરકાર દ્વારા જુદી જુદી 15 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અને 113 લોકોની ઓળખ કરવામાં આવી છે.એક ટેલીગ્રામ તથા એક ઈન્સ્ટાગઆમ ચેનલ સામે એકશન શરૂ કરાયા છે. તપાસ માટે સાઈબર ક્રાઈમની ખાસ ટીમોનું ગઠન કરવામાં આવ્યુ છે.
રાજકોટની મેટરનીટી હોસ્પીટલની જેમ મહાકુંભમાં મહિલાઓનાં સ્નાન કરતા વીડીયો પણ સોશ્યલ મિડિયામાં વાયરલ થયાનો ખુલાસો થયો હતો. હિન્દુઓના પવિત્ર મહાકુંભમાં આવા મહાપાપ સામે જબરો આક્રોશ શરૂ થતાં યોગી સરકારે તાબડતોબ એકશન શરૂ કરીને સાઈબર ક્રાઈમની વિશેષ ટીમોનું ગઠન કરીને તપાસના આદેશ જારી કર્યા હતા.
પોલીસ તપાસમાં કેટલાંક તત્વોએ ગુપ્ત કેમેરાથી મહિલાઓના વીડીયો ઉતાર્યાનું અને તેનું સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર વેંચાણ કરાયાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા 113 લોકોની ઓળખ કરીને સકંજામાં લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવી છે.
સરકારી સુત્રોએ કહ્યું કે, એક ટેલીગ્રામ તથા એક ઈન્સ્ટાગ્રામ ચેનલ પર પગલા લેવાયા છે. કેટલીક સોશ્યલ મીડીયા સાઈટ બ્લોક કરવામાં આવી છે.મેટા પ્લેટફોર્મ પાસેથી પણ વિગતો માંગવામાં આવી છે.
એક પોલીસ સીનીયર અધિકારીએ કહ્યું કે, પ્રયાગરાજનાં મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓનાં વાંધાજનક વીડીયો ફોટો સોશ્યલ મિડિયામાં મુકવા અને વેચવાના મામલામાં અત્યાર સુધીમાં 15 સોશ્યલ મીડીયા એકાઉન્ટન્સ સામે એફઆઈઆર કરી દેવામાં આવી છે.
આવા કુલ 17 સોશ્યલ મીડીયા એકાઉન્ટસ 52 3 ટેકસ દાખલ થયા છે. આ એકાઉન્ટસમાં દેશી ભાભીજી, ગર્લ્સ લાઈવ વીડીયો, રૂપોલા રોઝ, દ્વિવેદી રસીયા, બ્લોગર આભા દેવી, પ્લે ટયુબ સહિતના એકાઉન્ટનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌ પ્રથમ પ્રયાગરાજ પોલીસે 17 ફેબ્રુઆરીએ ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર કેસ કર્યો હતો. મહિલાઓના સ્નાન કરતા વાંધાજનક વીડીયો પોસ્ટ કરાયા હતા. પોલીસ દ્વારા મેટા પ્લેટફોર્મ પાસેથી વિગતો માંગવામાં આવી છે અને તુર્ત ધરપકડનો દોર શરૂ થઈ શકે છે.
19 ફેબ્રુઆરીએ ટેલીગ્રામ ચેનલ સામે બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલાઓનાં સ્નાન કરતા વિડીયોનું વેંચાણ કરાયું હતું. પોલીસના સુત્રોએ કહ્યું કે, સમગ્ર પ્રકરણમાં તુર્ત ધરપકડનો દોર શરૂ થશે.
સીસીટીવીના આધારે વીડીયો ઉતારનારા તથા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મમાં વેચનારા લોકોની ઓળખ થવા લાગી જ છે. 113 લોકો ઓળખાયા છે.તુર્તમાં સકંજામાં લેવાશે.