Mumbai,તા.17
દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર કોર્બિન બોશને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB ) દ્વારા કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટરે IPL 2025 માટે PSL છોડવાનો નિર્ણય લેતા કોર્બિન પર કરારની શરતોનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે.
ઇજાગ્રસ્ત લિઝાર્ડ વિલિયમ્સની જગ્યાએ, મુંબઈ ઇન્ડિયન્સે 8 માર્ચે કોર્બિન બોશ સાથે કરાર કર્યો. જે બાદ કોર્બિન બોશે પીએસએલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. પીએસએલ અને આઈપીએલ એકસાથે રમાશે.
આઈપીએલ 22 માર્ચથી 25 મે સુધી ચાલશે, જ્યારે પીએસએલ 11 એપ્રિલથી 18 મે સુધી રમવાનું છે. જાન્યુઆરીમાં યોજાયેલા પીએસએલ ડ્રાફ્ટમાં પેશાવર ઝાલ્મી દ્વારા ડાયમંડ કેટેગરીમાં કોર્બિન બોશની પસંદગી કરવામાં આવી હતી.
PSL ફ્રેન્ચાઇઝીઓ ચિંતિત છે કે જો PCB બોશ સામે કોઈ કાનૂની કાર્યવાહી અથવા કડક કાર્યવાહી નહીં કરે, તો ભવિષ્યમાં PSL માટે કરાર કર્યા પછી વધુ ખેલાડીઓને તક મળે તો તેઓ IPL માં જઈ શકે છે.
પહેલા પીએસએલ ફેબ્રુઆરી-માર્ચમાં રમાતું હતું. PCB એ PSL વિન્ડોને માર્ચ-એપ્રિલ સુધી લંબાવી જેથી વધુ વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ થાય અને તેમના પર કરાર કરી શકાય. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં SA20, ILT20 અને BPL જેવી લીગ પણ છે. આવી સ્થિતિમાં, PSL ને આ લીગ સાથે સ્પર્ધા કરવી પડી. ઘણા વિદેશી ખેલાડીઓએ આ લીગમાં વ્યસ્ત હોવાને કારણે PSL ને ઓછું મહત્વ આપ્યું.
વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે વધુ સ્પષ્ટતા માટે, આઈપીએલ મેગા ઓક્શન પછી પીએસએલ ડ્રાફટ યોજવામાં આવ્યો હતો. આ સીઝન માટે, IPL હરાજી નવેમ્બર 2024 માં યોજાઈ હતી અને PSL ડ્રાફટ જાન્યુઆરી 2025 માં યોજાયો હતો.

