તહેવારોનાં સમયે જ્યારે લોકો ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે અકસ્માતો સર્જાવવાની સંભાવના પણ વધે છે
Ahmedabad, તા.૨૭
રાજ્યમાં દિવાળીનાં પર્વમાં ફટાકડાના કારણે આગ લાગવાની ધટના દાઝી જવાના કેસો વધુ પ્રમાણાં સામે આવે છે. આ સમયગાળામાં રોસ્તા પરનાં અકસ્માતોમાં વધારો પણ જોવા મળે છે. જેથી ઇમરજન્સી સર્વીસ ૧૦૮ દિવાળીને લઇને ખાસ એક્શન પ્લાન સાથે તૈયાર છે.
રાજ્યમાં ૧૦૮ ઇમરજન્સી સેવા પાસે હાલ એક એર-એમ્બ્યુલન્સ, બે બોટ, ૩૮ ૈંઝ્રેં ઓન વ્હિલ અને ૮૦૦ એમ્બુલન્સ સહિત કુલ ૮૪૧ એમ્બ્યુલન્સ કાર્યરત છે. દિવાળીના તહેવારોમાં રસ્તા પર વાહનોનાં અકસ્માત તો વધુ પ્રમાણમાં સર્જાય છે. તે સિવાય દાઝી જવાના, અકસ્માતે પડવા વાગવાના અને શ્વાસને લગતી તકલીફની પણ ફરિયાદોમાં વધારો જોવા મળે છે. દર્દીને જલ્દી સારવાર મળે તે માટે ખાનગી હોસ્પિટલો સહિત સરકારી હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું છે.
શહેરો જ નહીં પણ કેટલાક નાના જિલ્લા અને ટાઉનમાં પણ દિવાળીનાં તહેવાર દરમિયાન વધુ લોકો ઉમટતા હોય છે. આવા જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ અકસ્માતનાં કેસમાં ૩૦થી ૭૦ ટકા જેટલો વધારો નોંધાયો છે.તેવા વિસ્તારોમાં પણ ૧૦૮ ઇમરજન્સી સેવાએ ખાસ તૈયારીઓ કરી રાખી છે. ભૂતકાળનાં આંકડાંઓથી અગમચેતી વાપરી ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકોની સેવા માટે ખડે પગે રહેશે.