Mumbai,તા.19
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનને ભયાનક દુર્ઘટના અને ત્યારબાદ એક યા બીજા કારણોસર શ્રેણીબદ્ધ ફલાઈટો કેન્સલ થવાના ઘટનાક્રમ વચ્ચે એરલાઈન્સે ટુંકાગાળા માટે વાઈડ બોડી (મોટા-પહોળા) વિમાનોની આંતરરાષ્ટ્રીય ઉડાનમાં ટુંકાગાળા માટે 15 ટકાનો કાપ મુકવાનો નિર્ણય લીધો છે.
એર ઈન્ડિયાએ કરેલી જાહેરાત મુજબ ઓછામાં ઓછા મધ્ય જુલાઈના સમયગાળા સુધી વાઈટબોડી વિમાનોની આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં કાપ રહેશે. સાવચેતીના ભાગરૂપે બોઈંગ 777 વિમાનોના સુરક્ષા પાસાની ચકાસણી કરાશે.
અમદાવાદની દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની 83 ફલાઈટો છેલ્લા છ દિવસમાં રદ થઈ હતી. પરિણામે શિડયુલ અસ્તવ્યસ્ત થયુ હતું. ગત 12મી જૂને એર ઈન્ડિયાનુ બોઈંગ 787-8 અમદાવાદમાં ક્રેશ થયુ હતું ત્યારબાદ મુસાફરોમાં અનેકવિધ પ્રકારનો ભય પેશી ગયો છે.
એરલાઈન્સની માલિકી ધરાવતા ટાટા ગ્રુપ દ્વારા જારી નિવેદન મુજબ મધ્યપુર્વમાં યુદ્ધને કારણે ભૌગોલિક હાલત, યુરોપ તથા પુર્વ એશિયાની એરસ્પેશમાં રાત્રી કરફયુ તથા સુરક્ષા ચકાસણી જેવા કારણોસર ઉડાનોમાં 15 ટકા કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાયલોટ તથા ટેકનીકલ-ઈજનેરી સ્ટાફ દ્વારા સાવચેતીનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. અનેકવિધ પડકારોને ધ્યાને લેવા આવતા થોડા સપ્તાહ માટે વાઈટબોડી ઉડાનોમાં 15 ટકાનો કાપ રહેશે.