Mumbai,તા.17
અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની હોંગકોંગ-દિલ્હી ફલાઈટ, બ્રિટીશ એરવેઝની લંડન-ચૈન્નઈ ફલાઈટ ઉડાન ભર્યા બાદ ખામી સર્જાતા પર ફરી હતી ત્યારે મધરાતે એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફલાઈટ મુંબઈ-અમદાવાદને રન-વે પર જ થંભાવી દેતા મુસાફરોએ હોબાળો બચાવ્યો હતો પરંતુ ટેકનીકલ કારણોસર ટેક ઓફ નહી થતા મુસાફરોએ રાહત પણ અનુભવી હતી.
ગત રાત્રીના 10-45 કલાકની એર ઈન્ડિયાની મુંબઈ-અમદાવાદ ફલાઈટ 12-30 કલાકે રન-વે પહેલા જ ટેકનીકલ કારણોસર થંભી જતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ટેકનીકલ કારણોસર અંતે રાત્રે 1 કલાકે પાઈલોટ દ્વારા ફલાઈટ કેન્સલ કર્યાનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. ફલાઈટને રન-વે પરથી ફરી ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.
દરમિયાન પ્લેનમાં બેઠેલા પ્રવાસીઓને ટેકનીકલ ખામીની સમયસર જાણ થતા વિભાગને ગ્રાઉન્ડ કરવા બદલ એર લાઈન્સ કંપની ઉડ્ડયન મંત્રાલયનો આભાર માન્યો હતો.