Keshod તા. 5
કેશોદ એરપોર્ટ પરથી શરૂ થયેલી મુંબઈ-કેશોદ વચ્ચેની પ્લેન સેવા બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેતે વખતના કેન્દ્રીય ઉડ્ડીયનમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યો હતો પરંતુ અચાનક આ સેવા કેશોદ એરપોર્ટ દ્વારા એક એપ્રિલથી બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
એરપોર્ટ ઓથોરિટીના કેમ્પસ ડાયરેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમને કેશોદ એરપોર્ટ પરથી મુંબઈ = કેશોદ એરલાઇન્સ સેવા બંધ થવા પાછળનું કારણ પુછતાં એરપોર્ટ ના કેમ્પસ ડાયરેક્ટરશ્રી એ જણાવ્યું હતું કે અમોને આ પ્લેન સેવા બંધ કરવા બાબતનો પત્ર મળ્યો છે તેમાં કોઇ કારણ દશોવાયુ નથી પરંતુ એક એપ્રિલથી આ પ્લેન સેવા બંધ કરવામાં આવી રહી છે તે બાબતે એરલાઇન્સ કંપની દ્વારા જાણ કરતો પત્ર અમોને મળ્યો છે તેમ જણાવ્યું હતું.
ત્રણ વર્ષ પહેલાં રજવાડી સમયનું એરપોર્ટ શરૂ થતાં લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો પરંતુ એકાએક મુંબઈ – કેશોદ વચ્ચેની ફ્લાઇટ સેવા બંધ કરવાનો નિર્ણય થયાનું જાણવા મળતાં જૂનાગઢ કેશોદ અને માંગરોળ માધુપુર વેરાવળ ચોરવાડ ના પેસેન્જરમાં આ પ્લેન સેવાને બંધ કરાતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હાલમાં અમદાવાદ કેશોદ અને દીવ વચ્ચે ની ફ્લાઇટ ચાલુ છે તેમ પણ અમારી વાતચિત દરમિયાન કેશોદ એરપોર્ટ ના કેમ્પસ ડાયરેક્ટરે જણાવ્યું હતું.