Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે

    November 21, 2025

    બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે

    November 21, 2025

    હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar

    November 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
    • બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
    • હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
    • Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
    • જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ
    • જે મનુષ્ય કામના,સ્પૃહા,મમતા અને અહંકાર છોડે છે તેને શાંતિ પ્રાપ્ત થાય છે
    • પીપળાનું મહત્વ
    • તંત્રી લેખ…માઓવાદીઓએ ભાગી ન જવું જોઈએ, અને નાબૂદીનો ધ્યેય સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»દરિયામાં કોઈપણ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિઓ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક સાધે
    સૌરાષ્ટ્ર

    દરિયામાં કોઈપણ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિઓ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક સાધે

    Vikram RavalBy Vikram RavalMay 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Porbandarતા.૮

    પહલગામ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મોત નિપજાવનાર પાકિસ્તાની આતંકીઓ અને તેમના આકાઓને ઘરમાં ઘુસી ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપી અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ આ સરાહનીય કાર્યવાહી બાદ, જો પાકિસ્તાન ભારત વિરોધી કોઈ પણ હરકત કરશે તો, જડબાતોડ જવાબ આપવા ભારત તૈયાર છે, ત્યારે દરિયામાં માછીમારી માટે જતા માછીમારોને બોટ માલિકોને એલર્ટ રહેવા બોટ એસોસિએશન તથા ફિશરીઝ વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

    દરિયામાં માછીમારી માટે જતા માછીમારોને પણ એલર્ટ રહેવા માટે પોરબંદર બોટ એસોસિએશન દ્વારા સૂચના આપવામાં આવી છે. તમામ માછીમારોને સૂચના અપાઈ છે કે, દરિયામાં કોઈપણ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિઓ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક સાધે. સાથે કોઈપણ શંકાસ્પદ વોટ્‌સએપ કોલ આવે, તો આવા કોલ રીસીવ ન કરવા અને આ અંગે સુરક્ષા એજન્સીઓને જણાવવા પણ સૂચના આપવામાં આવી છે.

    પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ જણાવ્યું કે, ગઈકાલે ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ, અમે અમારા માછીમારોને આઇએમબીએલ  નજીક જતા નહીં, અને દરિયામાં તમને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો, તાત્કાલિક ધોરણે ભારતીય એજન્સીઓ અથવા બોટ એસોસિએશનને જાણ કરવી, આ પરિસ્થિતિમાં આપણે સૈન્યના આંખ અને કાન બનીને કામ કરવાનું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા માછીમારોને અજાણ્યા વોટ્‌સએપ કોલ્સ આવ્યા હતા. જોકે માછીમારો પહેલાથી જાગૃત હતા અને બોટમાં ટ્રાન્સપોન્ડર સેટ હોવાને કારણે વધુ માહિતી મેળવી શેર થઈ નથી. માટે આ વખતે પણ આ બાબતે તમામ માછીમારોને ધ્યાન રાખવા જણાવાયું છે.

    આ પ્રકારની સ્થિતિને જોતા પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા પણ માછીમારો અને બોટ માલિકોને એલર્ટ કરી મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને દરિયામાં માછીમારી માટે જતા માછીમારોએ નો ફિશીંગ ઝોન તથા આઇએમબીએલ નજીક માછીમારી માટે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં અથવા દરિયાકાંઠે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો આ અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જણાવાયું છે.

    પોરબંદર મત્સ્યોદ્યોગ નિયામકના મદદનીશ ટી.જે.કોટીયાએ જણાવ્યું કે, ભારત-પાકિસ્તાનની સ્થિતિને ધ્યાને લઈ મત્સ્યઉદ્યોગ કમિશનરે એક પરિપત્ર જાહેર કર્યો છે. પોરબંદર મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા એક લેટર ઈશ્યુ કરાયો છે. માછીમારોને ખાસ મહત્વની બાબતોને જરૂરી સૂચનો અપાયા છે. માછીમારોએ ભારત-પાકિસ્તાનની મેરીટાઇમ ઈન્ટરનેશનલ બોર્ડર પર માછીમારી ન કરવા સૂચના અપાઈ છે. નો ફિસિંગ ઝોનમાં પણ માછીમારી ન કરવી. જે માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા છે અથવા જવાના છે તેઓને પોતાના ૈંડ્ઢ કાર્ડ સાથે રાખવા. ખાસ અજાણ્યા માછીમારોને વોટ્‌સએપ કોલ આવે છે અને તેમની પાસે બોટ પર લગાવેલા ડિવાઇઝની માહિતી માંગવામાં આવે છે, તેને પણ માહિતી આપવી નહીં.

    ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના નાપાક હરકતોને સતત જડબાતોડ જવાબ આપી તેઓને નાકામ કરી રહ્યા છે, ત્યારે દરિયામાં માછીમારો સહિત સૌ કોઈ ભારતીય સુરક્ષા બાબતે સજ્જ બની એક સિપાહીની જેમ પોતાની નાગરિક ફરજ બજાવે તે અત્યારના સમયની માંગ છે

    Porbandar Porbandar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Gondal માં લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મની ટીમનું સ્વાગત

    November 21, 2025
    સૌરાષ્ટ્ર

    Kotdasangani તાલુકામાં ટેકાના ભાવે બે હજાર ખેડૂતો પાસેથી મગફળીની-1 ખરીદી કરાઈ

    November 21, 2025
    સૌરાષ્ટ્ર

    Kodinar ચિકન શોપમાં કામ કરતા બાળ શ્રમિકને બાળ શ્રમયોગી ટાસ્ટ ફોર્સ મુક્ત કરાવ્યો

    November 21, 2025
    સૌરાષ્ટ્ર

    Veraval સોમનાથમાં વરસાદના લીધે બિસ્માર બનેલા 18 કીમી રસ્તાઓની કાયાપલટ

    November 21, 2025
    સૌરાષ્ટ્ર

    Prabhaspatan પોલીસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો : ઓરીસ્સાનો શખ્સ ઝડપાયો

    November 21, 2025
    સૌરાષ્ટ્ર

    Una: નવાબંદર ગામે સરકારી જમીનમાં દબાણ કરનાર મુંબઇની કંપનીને 3.88 કરોડનો દંડ

    November 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે

    November 21, 2025

    બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે

    November 21, 2025

    હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar

    November 21, 2025

    Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો

    November 21, 2025

    જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ

    November 21, 2025

    જે મનુષ્ય કામના,સ્પૃહા,મમતા અને અહંકાર છોડે છે તેને શાંતિ પ્રાપ્ત થાય છે

    November 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે

    November 21, 2025

    બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે

    November 21, 2025

    હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar

    November 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.