Jetpur, તા.20
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવાસા ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ સહિતના ત્રિવિધ કાર્યક્રમમાં સૌપ્રથમ ૩૦ નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકેના નિમણુંક પત્રો અપાયા હતા.
કોઈ પણ પ્રકારની સંભવિત આપાતકાલીન પરિસ્થિતિમાં દેશસેવા કરવા માગતા દેશના નાગરિકો સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકે જોડાઈને પોતાની સેવા આપી શકે છે. આ યોજનામાં જોડાવા માગતા નાગરિકોએ નિયત ફોર્મ તથા એકરારનામું જિલ્લા વહીવટી તંત્રને રજૂ કરવાનુ હોય છે. જેતપુરના મેવાસા ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા તથા જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા ૩૦ નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકેના નિમણૂંક પત્રો આજે એનાયત કરાયા હતા. આ તમામ નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે અને અને જરૂર પડયે રાષ્ટ્રહિત કાજે તેઓની સેવાઓ લેવામાં આવશે. તેમ ગોંડલના પ્રાંત અધિકારી રાહુલ ગમારાએ જણાવ્યું હતુ અને વધુને વધુ નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલન્ટીયરી તરીકે જોડાવા અપીલ કરી હતી.